દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા 'દક્ષા'નું કૂનો નેશનલ પાર્કમાં થયું મોત, નર ચિત્તાએ કર્યો હતો હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-09 20:56:24

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ એક માદા ચિંતાનું મોત થઈ ગયું છે. આ પાર્કમાં અત્યાર સુધી ત્રણ ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રીજા  ચિંત્તાનું મોત આંતરિક લડાઈમાં થયું છે. આ પહેલા બે ચિંતાનું મોત કિડનીમાં ઈન્ફેક્સન અને કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.


વન વિભાગે આપી જાણકારી


વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 9 મેના રોજ સવારે 10.45 વાગ્યે દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષા મોનિટરિંગ ટીમને ઘાયલ મળી આવી હતી. પશુ ચિકિત્સકોએ સારવાર કરી તેમ છતાં પણ બપોરે 12  વાગ્યે તેનું દુ:ખદ મોત નિપજ્યું હતું. દક્ષાને વાડા ક્રમાંક એકમાં જ્યારે તેની નજીકના વાડા ક્રમાંક સાતમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.


નર ચિંતાના હુમલાના સંકેતો મળ્યા


નિષ્ણાતોની ટીમે માદા ચિત્તા દક્ષા અને નર ચિત્તાને એક સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મેના દિવસે વાડા નંબર એક અને સાતના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. 6 મેના દિવસે નર ચિત્તો માદા ચિત્તા દક્ષાના વાડામાં દાખલ થયો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે માદા ચિત્તા દક્ષા પર જે ઘાના નિશાન મળી આવ્યા છે. તે પહેલી નજરમાં જ ચિત્તાના હુમલો થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે ચિંત્તાઓમાં સંભોગની પ્રક્રિયા દરમિયાન હિંસક વ્યવહાર સામાન્ય બાબત મનાય છે. આ સ્થિતિમાં નિરિક્ષણ કરી રહેલી ટીમની દખલ ના બરાબર હોય છે. નિયમોનુસાર માદા ચિત્તાનું પોસ્ટમોર્ટમ નિષ્ણાતોની ટીમ કરી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.