મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા 'સૂરજ'નું મોત, 4 મહિનામાં 8 ચિત્તાઓ મોતને ભેટ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-14 21:39:26

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આજે 14 જુલાઈના રોજ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે, મૃત્યુ પામેલા ચિતાનું નામ સૂરજ હતું. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સૂરજના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ડોક્ટરોની ટીમ તપાસમાં લાગેલી છે. આ વર્ષે માર્ચથી, શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં મૃત્યુ પામનાર ચિત્તાની સંખ્યા 8 થઈ ગઈ છે. નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં આ આઠમો ચિત્તો મૃત્યુ પામ્યો છે, જેમાં 5 પુખ્ત અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે. આફ્રિકાથી લાવવામાં આવેલ તેજસ નામનો નર ચિત્તો ત્રણ દિવસ પહેલા જ પાર્કમાં મૃત્યુ પામ્યો હતો.


કેવી રીતે મોત થયું?


કુનો નેશનલ પાર્કના અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર સવારે સર્વેલન્સ ટીમ દ્વારા પાલપુર પૂર્વ વન રેન્જના મસાવની બીટમાં સૂરજ નામનો ચિત્તો સવારે 9 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કહ્યું કે, ફ્રી ઝોનમાં દીપડાનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. અધિકારીએ કહ્યું કે તેની પીઠ અને ગરદન પર ઈજાના નિશાન છે.

  

ચિત્તાઓના અકાળે મોતે ચિંતા વધારી


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં 25 જૂને દક્ષિણ આફ્રિકાના આ નર ચિત્તા સૂરજને જંગલમાં છોડવામાં આવ્યો હતો. પરંતુ આજે વન વિભાગના કર્મચારીઓને તે જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. મૃત નર ચિતા સૂરજનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને તે પછી તેના મૃત્યુનું કારણ શું છે તે સ્પષ્ટ થશે. મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓના મૃત્યુએ ચિંતા જગાવી છે. પરંતુ હજુ સુધી સત્ય સામે આવ્યું નથી કે શા માટે આટલી જલ્દી ચિત્તાઓ મરી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે. આ અંગે વન વિભાગના અધિકારીઓ પણ કંઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.