સુરત મનપાની લાલિયાવાડી : ભુવો રીપેર કર્યાની થોડી જ મિનિટમાં ત્યાં ફરી ભૂવો પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:50:31

સુરતના રાંદેરના એલપી સવાણી રોડ પર ગઈકાલે ભૂવો પાડવાની ઘટના બની.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભુવો ઉતાવળમાં બુરી દીધો અને વાહન ચલાવવા માટે રોડ ખુલ્લો મૂકી દીધો હતો.ભુવો રીપેર કર્યાના થોડાજ સમયમાં ફરી એજ જગ્યાએ ભુવો પડ્યો અને એક ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ અને તંત્રની ફરી પોલ ખુલી ગઈ.


ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આવી લાલિયાવાડી વચ્ચે સ્થાનિકોનું કહેવું હતું કે સુરત મનપાના અધિકારીઓએ રોડ બનાવનાર કોન્ટ્રેક્ટરનો બચાવ કર્યો હતો. 


એકવાર ભુવો પડે અને તેને રિપેર કરવામાં આવે અને ફરીથી ત્યાં જ ભુવો પડીને ગાડી ફસાઈ જાય તો સ્વાભાવિક રીતે જ રાંદેસણના અધિકારીઓની કામગીરી કેટલી હદે નકામી હશે તે સમજાય છે.

રોડ બનાવતી વખતે પણ કોન્ટ્રાક્ટરો સાથે આ જ અધિકારીઓ નરમ વલણ રાખતા હોય છે. ઘણી વખત તો રોડ બનાવવાની કામગીરીને લઈને ફરિયાદ પણ આવતી હોય છે, પરંતુ, આ અધિકારીઓ કેવી રીતે તેનો રસ્તો કાઢી લેવામાં પોતાની હોશિયારી વાપરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવા ને બદલે તેમાંથી તેમને બચાવવા કયો રસ્તો અપનાવો તેમાં વધારે ફોકસ કરે છે 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.