સુરત મનપાની લાલિયાવાડી : ભુવો રીપેર કર્યાની થોડી જ મિનિટમાં ત્યાં ફરી ભૂવો પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:50:31

સુરતના રાંદેરના એલપી સવાણી રોડ પર ગઈકાલે ભૂવો પાડવાની ઘટના બની.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભુવો ઉતાવળમાં બુરી દીધો અને વાહન ચલાવવા માટે રોડ ખુલ્લો મૂકી દીધો હતો.ભુવો રીપેર કર્યાના થોડાજ સમયમાં ફરી એજ જગ્યાએ ભુવો પડ્યો અને એક ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ અને તંત્રની ફરી પોલ ખુલી ગઈ.


ફોરવ્લીહ ભૂવામાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આવી લાલિયાવાડી વચ્ચે સ્થાનિકોનું કહેવું હતું કે સુરત મનપાના અધિકારીઓએ રોડ બનાવનાર કોન્ટ્રેક્ટરનો બચાવ કર્યો હતો. 


એકવાર ભુવો પડે અને તેને રિપેર કરવામાં આવે અને ફરીથી ત્યાં જ ભુવો પડીને ગાડી ફસાઈ જાય તો સ્વાભાવિક રીતે જ રાંદેસણના અધિકારીઓની કામગીરી કેટલી હદે નકામી હશે તે સમજાય છે.

રોડ બનાવતી વખતે પણ કોન્ટ્રાક્ટરો સાથે આ જ અધિકારીઓ નરમ વલણ રાખતા હોય છે. ઘણી વખત તો રોડ બનાવવાની કામગીરીને લઈને ફરિયાદ પણ આવતી હોય છે, પરંતુ, આ અધિકારીઓ કેવી રીતે તેનો રસ્તો કાઢી લેવામાં પોતાની હોશિયારી વાપરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવા ને બદલે તેમાંથી તેમને બચાવવા કયો રસ્તો અપનાવો તેમાં વધારે ફોકસ કરે છે 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.