'બિકીની કિલર' ચાર્લ્સ શોભરાજ 19 વર્ષ પછી જેલમાંથી આવશે બહાર, નેપાળની સુપ્રીમ કોર્ટનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-21 21:15:03

બિકિની કિલરના નામથી કુખ્યાત ચાર્લ્સ શોભરાજ નેપાળની જેલમાંથી 19 વર્ષ બાદ મુક્ત થશે. નેપાળની સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ચાર્લ્સ શોભરાજની વર્ષ 2003માં ધરપકડ કરવામાં આવી હતી અને  ત્યારથી તે જેલમાં બંધ છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે 15 દિવસની અંદર તેના ડિપોર્ટેશનનો પણ હુકમ આપ્યો છે. 


શોભરાજ શા માટે છુટ્યો? 


શોભરાજ દ્વારા જેલમાંથી મુક્ત થવા માટે અરજી કરવામાં આવી હતી, શોભરાજ નિર્ધારિત સમયગાળા કરતા કારાવાસ ભોગવ્યો હોવાથી તેણે મુક્તી માટે અરજી કરી હતી, આ અરજીને માન્ય રાખી તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાર્લ્સ શોભરાજ પર બે અમેરિકન પ્રવાસીઓની હત્યાનો આરોપ છે. આ આરોપમાં તે 2003થી નેપાળની જેલમાં બંધ છે. નેપાળની સુપ્રીમ કોર્ટે પણ તેની મુક્તિના 15 દિવસની અંદર તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે.


ચાર્લ્સ શોભરાજ કોણ છે?


વિયેતનામી મૂળના ચાર્લ્સ શોભરાજનો જન્મ 1944માં વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં થયો હતો. તેની માતા વિયેતનામની હતી અને પિતા ભારતીય મૂળના હતા. ચાર્લ્સનું સાચું નામ હેતચંદ ભૌનાની ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ છે. પરંતુ તે બિકીની કિલર અને સિરિયલ કિલર તરીકે જાણીતો છે. ચાર્લ્સના જીવનના કેટલાક વર્ષો એશિયા અને ફ્રાન્સમાં વિત્યા હતા. માતાપિતાના છૂટાછેડા પછી તેની માતાએ એક ફ્રેન્ચ લેફ્ટનન્ટ સાથે મળીને ઉછેર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે