અખાત્રીજના પવિત્ર દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, તીર્થયાત્રીઓનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું


  • Published By :
  • Published Date : 2023-04-22 14:18:24

આજે  શનિવારે અખાત્રીજના પવિત્ર દિવસ પર ગંગોત્રી-યમનોત્રીના કપાટ ઉનાળા દરમિયાન શ્રધ્ધાળુંઓ માટે ખુલી ગયા છે. ગંગોત્રીના કપાટ 12:35 વાગ્યે જ્યારે યમનોત્રીના કપાટ  12:41 વાગ્યે ખુલી ગયા છે. મા ગંગાની ભોગમૂર્તિ અને છડી ગંગોત્રી ઘામમાં બિરાજમાન છે.


CM પુષ્કર ધામીએ ગંગા પૂજન કર્યું   


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ પ્રસંગે ગંગોત્રી ધામ પહોંચ્યા અને ગંગા પૂજન કર્યું હતું. પૂજા-અર્ચના બાદ વિવિવત રીતે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યાર બાદ યમનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતાં. પુષ્પ વર્ષા સાથે સીએમ ધામીએ તીર્થયાત્રીઓનું સ્વાગત કર્યું હતું.


ગંગોત્રીના પોર્ટલ ખોલવાની પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી. આ અંતર્ગત શુક્રવારે મુખબાથી મા ગંગા કી ડોળી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુખબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા.


ચારધામ યાત્રા શુક્રવારે ઔપચારિક રીતે શરૂ થઈ હતી, જ્યારે શનિવારે બપોરે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના દ્વાર ખોલીને યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ હતી. આ પહેલા શુક્રવારે મા ગંગાની ભોગમૂર્તિને ડોળીમાં મુકવામાં આવી હતી અને મુખબા ગામમાંથી ડોળીને આર્મી બેન્ડ, ઢોલ દમૌન અને રાણસીંગે સાથે રાત્રે 12.15 કલાકે ગંગોત્રી ધામ ખાતે રવાના કરવામાં આવી હતી.


7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા 


મુખબા ગામની મહિલાઓએ માતા ગંગાની ડોળીને ફૂલોની વર્ષા કરીને વિદાય આપી. આ પછી તીર્થયાત્રાના પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ મા ગંગાની ડોળી સાથે મુખબાથી જંગલા સુધી 7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા હતા. તે પછી રોડ માર્ગે પગપાળા ભૈરો ખીણ પહોંચ્યા.


અહીં ભૈરો મંદિરમાં માતા ગંગાની ડોળીએ રાતે વિશ્રામ કર્યો. આજે શનિવારે સવારે મા ગંગા કી ડોળી સવારે 8 વાગે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી અને અક્ષય તૃતીયાના રોજ બપોરે 12.13 કલાકે ગંગોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.


રાજ્યપાલે શુભકામનાઓ  પાઠવી


રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (સેની) એ આજે ​​અક્ષય તૃતીયા પર ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના પોર્ટલ ખોલવાના શુભ અવસર પર તમામ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે તમામ ભક્તોને સુગમ, સુખદ અને મંગળમય યાત્રાની શુભેચ્છા પાઠવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.