ચારધામ યાત્રા: કોરોનાના વધતા કેસ અને ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-04-19 21:44:05

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ખરાબ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. બુધવારે આરોગ્ય વિભાગના સચિવ ડૉ. આર. રાજેશ કુમારે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે.


આરોગ્ય સચિવે જાહેર કરી એડવાઈઝરી


ડૉ. આર. રાજેશ કુમારે કહ્યું કે ચારધામ યાત્રાના તમામ તીર્થ સ્થાનો ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં સ્થિત છે, જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ છે. તે સ્થળોએ પ્રવાસીઓ અતિશય ઠંડી, ઓછો ભેજ, નીચા હવાના દબાણ અને ઓછા ઓક્સિજન સામગ્રીને કારણે પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે ચોક્કસપણે એડવાઈઝરીનું પાલન  કરો.


કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો


દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવશે. કોરોના સંક્રમણને રોકવા માટે, યાત્રા પર આવતા યાત્રિકોએ કોવિડ અનુસાર નિયમોનું પાલન કરવું પડશે. જેમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝર, કોવિડના લક્ષણો પરના ટેસ્ટનો સમાવેશ થાય છે.


મુસાફરોએ શું કાળજી લેવી 


(1) 55 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓ, સગર્ભા સ્ત્રીઓ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને ડાયાબિટીસનો ઈતિહાસ ધરાવતા પ્રવાસીઓ જેઓ મેદસ્વી છે

(30 BMIથી વધુ)


(2)-કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના કિસ્સામાં કૃપા કરીને હેલ્પલાઈન નંબર 104 પર અમારો સંપર્ક કરો.


(3)-મુસાફરી દરમિયાન આલ્કોહોલ, કેફીનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને મજબૂત/શક્તિશાળી પીડા નિવારક દવાઓનું સેવન ન કરો, ધૂમ્રપાન પણ ટાળો.


(4)-મુસાફરી દરમિયાન ઓછામાં ઓછું બે લિટર પ્રવાહી પીવો અને પૌષ્ટિક આહાર લો.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.