પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 8 મીટર આગળ વધ્યું, ISROએ ચંદ્રયાન 3 અંગે આપ્યું અપડેટ


  • Published By :
  • Published Date : 2023-08-25 20:20:04

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આગળ વધી રહ્યું છે. ઈસરોએ શુક્રવારે (25 ઓગસ્ટ) ટ્વીટ કરીને (X) આ અંગેની માહિતી આપી હતી. ISRO એ લખ્યું, "રોવરે લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક પુરૂ કર્યું છે. રોવર પેલોડ્સ LIBS અને APXS કાર્યરત છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર પરના તમામ પેલોડ્સ પણ રાબેતા મુજબ રીતે કાર્ય કરી રહ્યા છે."


રોવર પ્રજ્ઞાનનો વીડિયો પણ શેર કર્યો હતો


અગાઉ ISROએ આજે સવારે ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાનના લેન્ડર વિક્રમ બહાર નીકળતા અને તેમાં ચંદ્રમાની સપાટી પર ચાલતો એક શાનદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લેન્ડરના ઈમેજર કેમેરાએ બનાવ્યા છે. ISROએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર આ વીડિયો શેર કરતા મેસેજમાં લખ્યું- અને ચંદ્રયાન 3નું રોવર, લેન્ડરમાંથી નીકળીને આ રીતે ચંદ્રમાની સપાટી પર ચાલ્યું. ISROએ કહ્યું હતું- તમામ પ્રવૃત્તિઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલે છે. તમામ પ્રણાલીઓ સામાન્ય છે. લેન્ડર મૉડ્યૂલમાં રહેલા ઈલ્સા (ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર લૂનર સીસ્મિક એક્ટિવિટી), રંભા (રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સેટિવ આયનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર) અન ચેસ્ટ શરુ થઈ ગયા છે. રોવરે ચાલવાનું શરુ કરી દીધું છે. પ્રોપલ્શન મોડ્યૂલમાં રહેલા શેપ (સ્પેક્ટ્રો પોલરિમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ) પેલોડનું સંચાલન રવિવારે શરુ થઈ ગયું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.