ચંદ્રયાન-3: આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડિગ, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, જાણો ઈસરોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-23 14:37:22

ચંદ્રયાન-3 આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કરશે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને ઈતિહાસ રચશે. ISROએ કહ્યું છે કે તમામ સિસ્ટમ નોર્મલ છે. બેંગલુરૂ ઓફિસમાં મિશન ઓપરેશન ટીમની તૈયારી પુરી થઈ છે. 5:44 લાગ્યે જેવી જ લેંન્ડર તેની પૂર્વનિર્ધારીત પોઝિશન પર આવશે. ટીમ ઓટોમેટિક લેડિંગ સિક્વન્સ (ALS) લોન્ચ કરી દેશે. લેન્ડરના ચંદ્ર પર ઉતરતા જ રેપ ખુલશે અને પ્રજ્ઞાન રોવર તેનાથી ચંદ્રની સપાટી પર જશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન એકબીજાના ફોટો ખેંચશે અને ભારતમાં ઈસરોને મોકલશે.  જો ભારતનું આ મિશન સફળ રહેશે તો સાઉથ પોલ પર બીજો દેશ બનશે. 


કેવો છે કમાન્ડ સેન્ટરનો માહોલ?


બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC) ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ આખી રાત ચંદ્રયાન-3 થી મળેલા ડેટાનું કમ્પ્યુટર્સ પર વિશ્લેષણ કરવામાં વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાનો દરેક અવકાશ સમાપ્ત થઈ જાય.


દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરે છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્તેજના અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રીઅલ-ટાઇમ ડેટા મેળવી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે.


PM મોદી વર્ચ્યુઅલી જોડાશે


લેડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે થશે. આ ઈવેન્ટમાં પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. હાલ તો તે આફ્રિકામાં છે, એટલા માટે જ વર્ચ્યુઅલી જોડાશે. ત્યાં જ મિશનની સફળતા માટે ભારતમાં જ નહીં પણ વિદેશમાં વિવિધ સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો તથા યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.