ISROની મોટી સફળતા, ચંદ્રયાન 3થી અલગ થયું વિક્રમ લેન્ડર, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-08-17 17:52:44

ભારતના મૂન મિશનને વધુ એક સફળતા મળી છે. વિક્રમ લેન્ડર ગુરુવારે બપોરે 1.15 વાગ્યે ચંદ્રયાન 3થી અલગ થઈ ગયું. હવે આગળની સફર આ લેન્ડરે જ નક્કી કરવાની છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ 100 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષામાં અલગ થઈને ભ્રમણ કરવા જઈ રહ્યા છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 5.25 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વૈજ્ઞાનિક ટી.વી. વેંકટેશ્વરને જણાવ્યું કે રોવર લેન્ડરના પેટની અંદર જ છે.


ચંદ્રયાન-3 ધીમે ધીમે ઝડપ ઘટાડશે


ચંદ્રયાન-3એ લગભગ પોણા ચાર લાખ કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે માત્ર 100 કિમીની સફર બાકી છે. ચંદ્રયાન-3 ધીમે ધીમે તેની ઝડપ ઘટાડશે. આ માટે ચંદ્રયાનને તેના એન્જિન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ગતિ ધીમી કરવી પડશે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરને 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડીઓર્બીટીંગ દ્વારા 30 કિમીવાળા પેરીલ્યુન અને 100 કિમી એપોલ્યૂન ઓર્બિટમાં મૂકવામાં આવશે. પેરીલ્યુન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે ચંદ્રની સપાટીથી વધુ અંતર. અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. 


20 ઓગસ્ટ પછીની યાત્રા મુશ્કેલ  


હવે ચંદ્રયાન-3 માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ બનવાની છે. સૌથી મુશ્કેલ કામ ચંદ્રયાનની ઝડપ ઘટાડવાનું છે. એકવાર વિક્રમ લેન્ડર 30 કિમી x 100 કિમીની ભ્રમણકક્ષા મેળવે પછી સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દરમિયાન તેની સ્પીડ ઓછી કરતી વખતે તે અકસ્માતનો ભોગ બન્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.