13 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, એન્જિનમાં કરાયો મોટો ફેરફાર...ભૂલનું પુનરાવર્તન નહીં થાય


  • Published By :
  • Published Date : 2023-06-28 20:19:08

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) ફરી એક વખત ચંદ્રયાન મિશનની જાહેરાત કરી છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરોના ચેરમેન એસ સોમનાથે જાહેર કર્યું કે 13 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની આ વધુ એક મોટી સફળતા હશે. ચંદ્રયાન-3 લઈ જતાં રોકેટને 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથના જણાવ્યા પ્રમાણે તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આ વખતે ચંદ્રયાન-3 મિશનને જુલાઇમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રના ડાર્ક સાઈડ તરફ લોન્ચ કરવામાં આવશે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે દેખાતો નથી.


ભૂલનું પુનરાવર્તન નહીં થાય


ચંદ્રયાન-3ને લોન્ચ કરવા અંગે ઈસરો ચીફે જણાવ્યું કે ગત વખતે વિક્રમ લેન્ડર સાથે જે થયું હતું તે ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ વખતે એવું નહીં થાય. કારણ કે આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડરની લેન્ડિંગ ટેક્નિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મતલબ કે આ વખતે ચંદ્રયાન-2ની ભૂલો નહીં થાય. ચંદ્રયાન-3ની લેન્ડિંગ ટેક્નિક નવી રીતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ પર છે. આ મિશનને શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગની તૈયારીઓમાં લાગેલી ટીમ ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 પર જુલાઈના મધ્ય સુધીમાં લોન્ચ કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે સખત મહેનત કરી રહી છે. 


7 કિમીથી લેડિંગનો પ્રારંભ થશે, 2 કિમી પર સેન્સર થશે એક્ટિવ


ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ3 (લોન્ચ વ્હીકલ માર્ક-2) દ્વારા ચંદ્ર તરફ છોડવામાં આવશે જે ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંનો અભ્યાસ કરશે તેમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન સિસ્ટમ ફિટ કરેલી છે જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. માત્ર પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિલોગ્રામ છે, જે લેન્ડર અને રોવરને 100 કિમીની ચંદ્રની કક્ષામાં લઈ જશે. રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ 758 વોટ, લેન્ડર મોડ્યુલ 738 વોટ અને રોવર 50 વોટનો પાવર જનરેટ કરશે. આ સેન્સર્સ લેન્ડરને લેન્ડિંગ સમયે ઊંચાઈ, લેન્ડિંગ પ્લેસ, સ્પીડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન-3 સાત કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. 2 KMની ઊંચાઈએ પહોંચતાની સાથે જ સેન્સર સક્રિય થઈ જશે. આ મુજબ, લેન્ડર તેની દિશા, ગતિ અને ઉતરાણ સ્થળ નક્કી કરશે.


ચંદ્રયાન-3 શા માટે?


ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ અને રોવિંગ ક્ષમતા દર્શાવવાનો છે. તદુપરાંત, તે આંતરિક વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા અને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી તકનીકો વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેના મહત્વપૂર્ણ ઉદ્દેશો પણ ધરાવે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!