ચાંદલોડીયા ઓવર બ્રિજ રાહદારીઓ માટે જોખમી બન્યો, મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-07 14:56:25

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોના ઓવર બ્રિજ ખખડધજ થયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે હવે તેમના માટે જીવનું જોખમ સર્જાયું છે. હવે અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજનો નિર્ણયનગર તરફનો એક ભાગ રાહદારીઓ માટે ખતરનાક બન્યો છે.  ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પરનો એક ભાગ હવે ટેકા ઉપર રહેલો છે. છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનો રેલવે પોર્શન બે ભાગમાં ટેકા ઉપર રહેલો છે. હવે ધીરે ધીરે રોડ પર લગાવવામાં આવેલા ટેકા પણ ખસી રહ્યા છે. હદ ત્યા થાય છે કે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર,ઔડા કે રેલવે વિભાગના કોઈ કોઈપણ અધિકારી જોવા પણ આવતા નથી. 


8 કરોડના ખર્ચે બ્રિજની મરામત


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજની 7 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં 8 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાઇ હતી, ત્યારથી તેની નીચે ટેકા લગાવવામાં આવ્યા છે. બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.


8 કરોડના ખર્ચે તૈયાર થયો હતો બ્રિજ


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ વર્ષ 1998માં રૂ. 8 કરોડના ખર્ચે ઔડા દ્વારા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા.લિને ચાંદલોડીયા રેલવે બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. 2000માં બ્રિજ બનીને તૈયાર થયો હતો.વર્ષ 2007માં આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામા આવ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.