Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર! હજી સુધી નોંધાયા આટલા કેસ અને આટલા બાળકો બન્યા આ વાયરસનો ભોગ!


  • Published By :
  • Published Date : 2024-07-17 16:31:30

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા હવે ૧૪ પર પહોંચી ચુકી છે. જેમાંથી ૮ જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે.  અને હવે આ વાયરસનો એક કેસ ગાંધીનગરમાં નોંધાયો છે. એવી માહિતી પણ સામે આવી છે કે અમદાવાદમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે.  



ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. સમાચાર આવી રહ્યા છે કે મહેસાણામાં વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મોત થયું છે . આ મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા હતા. વરેઠા અને ડાભલામાં નોંધાયા હતા. જેમાંથી 1 બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.



આ જગ્યાઓ પર થયા બાળકોના મોત

આરોગ્ય વિભાગની ટીમએ આ બાળકોના ઘરની આસપાસ તપાસ કરી રહી છે . અને હવે સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. હજી સુધી જે પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર લુણાવાડા અને હિંમતનગરમાં 1-1 બાળકોના મોત થયા હતા. અને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ કેસ નોંધાયા હતા , હવે આજે ગાંધીનગરમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. આ મામલે ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.  



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 


શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 


મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.. 

અહીં એક વસ્તુ ખુબ મહત્વની છે કે , જોકે આ વાઇરસનું સંક્રમણ ખુબ દુર્લભ છે , તેની સારવાર માટે કોઈ પણ એન્ટી વાયરસ દવા નથી બની . બીમારીના લક્ષણ મુજબ ડૉક્ટર દવા આપે છે. જો આ વાયરસનું સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય તો , કોમા અને મૃત્યુનું જોખમ રહે છે . એમાં મૃત્યુદર ૭૫ ટકા હોય છે . જોકે આપણા ગુજરાત રાજ્યની આરોગ્યટિમો પણ ચાંદીપુરા વાઇરસને લયીને ખુબ સક્રિય થઈ ગયી છે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.