ચંદીગઢ મેયર ચૂંટણી: રિટર્નિગ ઓફિસર અનિલ મસિહે કબુલ્યું, 'હા બેલેટ પેપર પર કર્યું હતું ક્રોસનું નિશાન'


  • Published By :
  • Published Date : 2024-02-19 17:25:53

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દાખલ કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પાર્ટીઓએ મેયરની ચૂંટણીમાં ગેરરિતીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો. ચૂંટણી અધિકારીનો આ વીડિયો પણ પુરાવા તરીકે સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ ચૂંટણી અધિકારી પર ભડક્યા હતા અને ચૂંટણી અધિકારીને ફટકાર લગાવી હતી. આજે આ ચૂંટણી અધિકારીએ કોર્ટમાં કબૂલ્યું છે કે તેમણે બેલેટ પેપર પર ક્રોસનું માર્ક કર્યું હતું. 


શું કહ્યું અનિલ મસીહે?


સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિગ ઓફિસર અનિલ મસિહને બેંચે પૂછ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું કે નહીં. આ બાબતને રિટર્નિગ ઓફિસરે સ્વિકારી લીધી હતી, તેમણે કહ્યું હતું કે હા,  તેમણે આવું કર્યું હતું, કેમ કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારે આવીને બેલેટે પેપર લઈ જઈને ફાડી નાખ્યું અને પછી ભાગી ગયા હતા. ત્યાર બાદ બેન્ચે પૂછ્યું કે પણ તમે ઓફ ક્રોસ કેમ કર્યું હતું?  તો તેનો જવાબ આપતા મસિહે કહ્યું કે તે પેપર પર નિશાન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 


કાલે બેલેટ પેપર સુપ્રીમમાં રજુ કરાશે


સુપ્રીમ કોર્ટમાં રજુ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ સ્વિકાર્યું હતું કે  તેમણે માર્ક લગાવ્યું છે, આ સ્થિતીમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમે ડેપ્યુટી કમિશનરને કહીંશું કે નવા રિટર્નિગ ઓફિસરની નિમણૂંક કરે. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રારને પણ કહીંશું કે તે ચૂંટણીનું મોનિટરિંગ કરે. તે ઉપરાંત રજીસ્ટ્રાર જનરલને પણ ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ રજુ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જે બેલેટ પેપર રજીસ્ટાર જનરલ પાસે છે તે એક જ્યુડિશિયલ ઓફિસરને સવારે 10.30 વાગ્યે અમારી સમક્ષ લાવવામાં આવે.  


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢના મેયર માટેની ચૂંટણી 30 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. તે સમયે બિજેપીના 14 કાઉન્સિલર હતા, જો કે આપ અને કોંગ્રેસ ગઠબંધનના  સયુક્ત કાઉન્સિલરની વાત કરીએ તો સંખ્યા બળમાં આપનો મેયર બનવાનો હતો. કારણ કે આપના 13 અને કોંગ્રેસના 7 કાઉન્સિલર હતા. આ ચૂંટણીમાં ચંદીગઢના સાંસદ પણ મત આપે છે.  જો કે ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસિહે આપ અને કોંગ્રેસના 8 વોટોને રદ્દ કરી દીધા હતા. જેથી 16 મત મેળવનારી બિજેપીની જીત થતા તેનો મેયર બન્યો હતો. આ સમગ્ર મામલે આપ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  મેયરની ચૂંટણીમાં ગેરરીતિ આચરનારા અનિલ મસિહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.