ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીત્યો, પક્ષમાં 47 અને વિરોધમાં 29 મત પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-05 15:20:06

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આજે સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ ચંપાઈ સોરેને ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 82 સભ્યોની વિધાનસભામાં ગાંડેયા વિધાનસભા બેઠક JMMના ધારાસભ્ય સરફરાઝ અહેમદના રાજીનામાને કારણે ખાલી છે. જ્યારે JMMના રામદાસ સોરેન અને ભાજપના ઈન્દ્રજીત મહતો વિધાનસભામાં પહોંચ્યા ન હતા. ઘાટસિલાના JMM ધારાસભ્ય રામદાસ સોરેન કિડનીની સમસ્યાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. ભાજપના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોની લાંબા સમયથી હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 47 વોટ મળ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 29 વોટ મળ્યા.


કોઈ ખાતાવહી નથી, કાવતરૂ રચી હેમંતને ફસાવ્યા


વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરતી વખતે સીએમ ચંપાઈ સોરેને કહ્યું કે હેમંત સોરેનને ફસાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે EDએ હેમંત સોરેનની એક એવા કેસમાં ધરપકડ કરી છે જેમાં એકાઉન્ટ બુક નથી. જ્યારે EDએ ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.


મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે-હેમંત સોરેન


મુખ્યમંત્રી ચંપાઈ સોરેન બાદ પૂર્વ સીએમ હેમંત સોરેને ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 31 જાન્યુઆરીની રાતને કાળી રાત ગણાવતા તેમણે કહ્યું કે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં આ એક કાળો અધ્યાય બની ગયો છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે દેશમાં પહેલીવાર કોઈ સીએમ કે પૂર્વ સીએમ અથવા કોઈ વ્યક્તિની રાજભવનમાં ધરપકડ કરવામાં આવી હતી.હેમંત સોરેને આરોપ લગાવ્યો કે તેમની ધરપકડમાં રાજભવન પણ સામેલ હતું.


આરોપ સાબિત થશે તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ


હેમંત સોરેને EDના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે જો તેમના નામની 8.5 એકર જમીનના દસ્તાવેજો આગળ મૂકવામાં આવશે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. એટલું જ નહીં તેઓ ઝારખંડ છોડી દેશે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.