Jharkhandના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન લેશે શપથ, સરકાર રચવા રાજ્યપાલે આપ્યું આમંત્રણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 09:17:07

31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. કથિત જમીન કૌભાંડને લઈ ઈડીએ અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઝારખંડના મુખ્યમંત્રી પદ ઉપરથી હેમંત સોરેને રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનની પસંદગી કરવામાં આવી, વિધાયક દળે ચંપઈ સોરેને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. વિધાયક દળે તો નેતાને પસંદ કરી લીધા પરંતુ સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ માટે તેમને રાજ્યપાલે આમંત્રણ આપ્યું છે.

સરકાર રચવા રાજ્યપાલે ચંપઈ સોરેનને આપ્યું આમંત્રણ!

હેમંત સોરેનની ધરપકડ થોડા સમય પહેલા થઈ ગઈ હતી. ઝારખંડમાં હમણાં કોઈ સરકાર નથી જે વહીવટ કરી શકે. ચંપઈ સોરેનની પસંદગી વિધાયક દળ દ્વારા કરવામાં આવી હતી. ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી માહિતી સામે આવી હતી પરંતુ રાજ્યપાલ દ્વારા તેમને સમય આપવામાં ન આવતો હતો. રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. 2 ફ્રેબુ્આરી એટલે કે આજે તે મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ શકે છે. શપથ લેવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ચંપઈ સોરેને આની પહેલા 43 ધારાસભ્યના સમર્થન વાળી ચિઠ્ઠી લઈને રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા.  


સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ધરપકડનો મામલો!

1 ફેબ્રુઆરીએ રાંચીની વિશેષ અદાલતે હેમંત સોરેનને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યો હતો. તે જ સમયે, વિધાયક પક્ષે ચંપાઈ સોરેનને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા. એવી માહિતી સામે છે કે હેમંત સોરેનનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે. મળતી માહિતી અનુસાર ઝારખંડમાં પીએમએલએ કોર્ટ આજે હેમંત સોરેનના રિમાન્ડ પર ફેંસલો સંભળાવશે. 

 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.