Chaitar Vasava ધરણા પર બેઠા! વિકાસશીલ તાલુકા માટે ફાળવવામાં આવતું બજેટ નથી વપરાતું નિર્ધારિત કાર્યોમાં? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-20 18:30:11

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હમણાંથી ખૂબ ચર્ચામાં રહે છે એ પછી જનતા રેડ કરવા જાય કે પછી અધિકારીઓને ખખડાવે.. સ્કૂલે જઈ શિક્ષકોને ગુજરાતી વાંચવાનું કહે છે.. કોઈ વખત અનેક વીડિયો રિલીઝ કરી દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવી વાત કરે છે.  ફરી એક વાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.  કલેકટરની સામે તેમણે મોરચો ખોલ્યો હોય તેવું લાગે છે. કલેક્ટર ઓફિસની બહાર ચૈતર વસાવા ધરણા પર બેઠા હતા. 


ગુજરાતના 41 જેટલા તાલુકા આવે છે વિકાસશીલ તાલુકા હેઠળ!

ડેડીયાપાડાના ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચી ગયા અને કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા. કારણ શું તો વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરે છે અધિકારીઓ એ આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા. 


ચૈતર વસાવા અધિકારીઓની પોલ તો ખોલે છે પરંતુ! 

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. તો અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે. હવે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં ચાલતા કૌભાંડોનો ખુલાસો તો કરે છે પણ એ અધિકારીઓ સામે એક્શન લેવાય છે કે કેમ એ જોવાનું રહ્યું!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે