ચૈતર વસાવાના પત્નીના જામીન થયા મંજૂર, ગમે ત્યારે જેલ બહાર આવી શકે છે શકુન્તલા વસાવા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-03 11:47:04

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર થોડા દિવસ પહેલા આવી ગયા અને હવે તેમના પત્નીના જામીન પણ મંજૂર થઈ ગયા છે. આમ તો ચૈતર વસાવાના જામીન ઘણા સમય પહેલા મંજૂર થઈ ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાના જામીન મંજૂર થયા ન હતા જેને લઈ ધારાસભ્ય જેલમાં રહ્યા હતા. જિલ્લાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના પત્નીના જામીન મંજૂર કરી દીધા છે. શકુન્તલા બેન સહિત અન્ય બે વ્યક્તિના જામીન મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી  છે. જેલની બહાર શકુન્તલા વસાવા ક્યારે આવશે તે તારીખ હજી સામે નથી આવી. 


જેલમાં રહેલા ધારાસભ્ય અનેક વખત મોકલતા હતા સંદેશ     

વનકર્મીને માર મારવાનો તેમજ હવામાન એક રાઉન્ડ કરવાના ગુન્હામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસ થતાં જ ચૈતર વસાવા ફરાર થઈ ગઈ હતા. ઘણા સમય બાદ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, ત્યાં હાજર હતા. ચૈતર વસાવા જેલમાં હતા તે સમયથી અનેક વખત તેમના સમાચારો સામે આવતા રહ્યા. જેલમાંથી ધારાસભ્ય પોતાના સમર્થકોને સંદેશો મોકલતા હતા. 


શકુન્તલા વસાવાના જામીન થયા મંજૂર 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે અને તે જેલની બહાર આવી ગયા છે તેમના પત્ની શકુન્તલા વસાવા પણ જેલની બહાર આવવાના છે ટૂંક સમયમાં તેવી માહિતી સામે આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.