Chaitar Vasavaએ Mumtaz Patelના નિવેદન પર આપી પ્રતિક્રિયા, ચૂંટણી પ્રચારને લઈ મુમતાઝ પટેલે કરી હતી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-05 14:56:18

ભરૂચ લોકસભા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાય છે... ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ચૈતર વસાવાને  ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠક ભરૂચ પરથી સમાચાર આવી રહ્યા છે કે , હવે ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના  નિવેદન પર પ્રતિક્રિયા આપી છે . અને કહ્યું હતું કે , હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ . 

પ્રચારને લઈ મુમતાઝ પટેલે આપી હતી પ્રતિક્રિયા અને કહ્યું હતું... 

ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.. ભરૂચમાં આપના ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસના નેતાઓ અનેક વખત સાથે દેખાયા હતા. ત્યારે થોડા દિવસ પહેલા મુમતાઝ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ તેમનો સંપર્ક નથી કર્યો પ્રચાર માટે..


ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા

આ બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે , થોડા દિવસ પહેલા જ મુમતાઝ બેન સાથે વાત થઈ હતી , મુમતાઝબેન દિલ્હી હતા અને તેઓ પોતે પણ ઇન્ડિયા ગઠબંધનના સ્ટારપ્રચારક છે એટલે તેમનો આખો પ્રચાર માટેનો schedule બનેલો હોય છે . અમે સાથે રહીને મેહનત કરીશું . હું ચોક્કસ મુમતાઝ પટેલને સંપર્ક કરીશ. મહત્વનું છે કે આ બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે.. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે.. મહત્વનું છે કે ચૂંટણી પ્રચારના પડઘમને શાંત થવામાં માત્ર ગણતરીના કલાકો બાકી છે..  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.