ચૈતર વસાવાએ કરી આદિવાસી લોકો માટે અલગ પ્રદેશ બનાવવાની માગ, જમાવટ સાથે Exclusive વાતચીત દરમિયાન ચૈતર વસાવાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-04-05 12:25:46

નર્મદા જિલ્લાનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. પહેલી એપ્રિલે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી પરંતુ તે ડિબેટમાં મનસુખ વસાવા હાજર રહ્યા ન હતા. જે બાદ ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યો હતો. ચૈતર વસાવાએ આદિવાસી લોકો માટે અલગ પ્રદેશ બનાવવાની માગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અલગ ભીલીસ્તાન પ્રદેશ બનાવવા માટે આંદોલન કરીશું.



મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થવાની હતી ડિબેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાંચ સિટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી. પરંતુ મનસુખ વસાવાએ છેલ્લી ઘડીએ ડિબેટમાં આવવાનું ટાળ્યું હતું. જે બાદ રાજકારણ ગરમાયું છે.


જમાવટની ટીમે કરી ચૈતર વસાવા સાથે વાત 

આ બધા વચ્ચે ચૈતર વસાવાએ ભીલો માટે અલગ પ્રદેશની માગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની માગ છે. ભીલીસ્તાન મામલે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી. જાણો તેમણે શું કહ્યું...       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.