ચૈતર વસાવાએ સામાન્ય લોકો સાથે કરી હોળીની ઉજવણી, હોળી બાદ વાવણીની થાય છે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-08 11:41:18

હોળી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. હોળી તહેવારની ઉજવણી દરમિયાન અનેક જગ્યાઓ પર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આદિવાસી સમાજમાં હોળી પર્વનું મહત્વ વધારે હોય છે. આ તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પરંપરાગત વેશમાં દેખાયા હતા. 


ચૈતર વસાવાએ ઘેરૈયા વેશ ધારણ કર્યો   

અનેક ધારાસભ્યો તહેવારની ઉજવણી પોતાના વિસ્તારના લોકો સાથે કરતા હોય છે. ચૈતર વસાવાએ સામાન્ય નાગરિકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. પોતાના બોગઝ ગામ ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેઓ ઘેરૈયા વેશ ધારણ કર્યો હતો. કમરમાં ઘૂઘરા લગાવી નાચતા દેખાયા હતા. તેમની સાથે અનેક લોકો પણ ડાન્સ કરતા દેખાયા હતા. 


ચૈતર વસાવા લોકો વચ્ચે ઘેરિયાના વેશમાં દેખાયા, દેશી રંગમાં ઢોલક લઈ નાચ્યા,  આદિવાસીઓ માટે વાવેતરની શરૂઆત | Chaitar Vasava appeared among the people in  the garb of Gheri ...

આની પહેલા ચૈતર વસાવાએ વગાડ્યું હતું ઢોલ  

મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આદિવાસી સમાજ માટે એમ પણ આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. કુળદેવી માતા માટે સમાજ ઘેરિયો બની પાંચ દિવસની માનતા રાખે છે. નારીનો વેશ ધારણ કરીને પાંચ દિવસ ફરતા હોય છે. હોળી પર્વની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચૈતર વસાવા ઢોલ વગાડતા નજરે પડ્યા હતા.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.