આદિવાસીનો અવાજ બનવા ચૈતર વસાવા અને અનંત પટેલ થયા એક! નેશનલ હાઈવે નં. 56 પર બની રહેલા બાયપાસ હાઈવેના વિરોધમાં ખેડૂતોની વ્હારે આવ્યા આદિવાસી નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:13:27

અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ મોટા ભાગે સાથે નથી દેખાતા.એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા દેખાતા હોય છે. પરંતુ અનેક એવા અનેક મુદ્દાઓ હોય છે જેમાં નેતાઓ એક સાથે દેખાતા હોય છે. ત્યારે નર્મદામાંથી જે ઘટના સામે આવી છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક થઈને આદિવાસી ખેડૂતોની માગ માટે લડતા દેખાયા હતા .દિલ્લી મુંબઈ ફોર લેન રોડ આદિવાસી પટ્ટાના નર્મદા જિલ્લામાંથી નીકળે તેની પહેલા જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે નેશનલ હાઈવે 56ના બાયપાસનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી લડાઈમાં બંને નેતાઓ સાથે દેખાયા હતા.

   

અનંત પટેલ અને ચૈતર વસાવા આ મુદ્દે આવ્યા સાથે! 

નર્મદા જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈવેની કામગીરીને લઈ વ્યારા જિલ્લા સેવા સદનમાં પણ આદિવાસી ખેડૂતોએ વિરોધ કરીને ધરણા કર્યા હતા. જો કે પરિસ્થિતિ વિફરે નહીં અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસનો કાફલો ખડગી દેવાયો હતો. આ ધરણામાં આદિવાસી નેતા અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા.

 હેમંત ગામિત, તાપીઃ જિલ્લામાંથી વ્યારા અને ડોલવણ તાલુકાના 28 જેટલા ગામોમાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન ઉપર વાપી-શામળાજી ને.હાઈવે 56 પર અનેક જગ્યાએ બાયપાસ હાઇવે માટે ખેડૂતોની ખેતીલાયક જમીનનું સંપાદન થવાનું છે. તેને લઈને અહીંના ગરીબ અને લાચાર આદિવાસી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

પોતાની જમીન આપવા તૈયાર નથી ખેડૂતો! 

ખેડૂતોનું કહેવું છે કે અમે વાંધો ઉઠાવ્યો હતો જેના પર સરકારે કોઈ વિચાર નથી કર્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર હાઈવે 56 પર કંઈ પણ કરી શકે છે કારણ કે તેના પર સરકારે સંપાદન કર્યું છે પણ તેના નવો બાયપાસ કાઢવા માટે જમીન આપવા કોઈ આદિવાસી લોકો તૈયાર નથી. નેશનલ હાઈવે છપ્પન સિવાયના ગામડાઓમાં કોઈ જમીન સંપાદન નહીં કરવા દઈએ તેવી આદિવાસી અગ્રણીઓએ માગ રાખી હતી. આ આંદોલનમાં આદિવાસી નેતા ચૈતર વસાવા પણ દેખાયા હતા અને અનંત પટેલ પણ દેખાયા હતા. બંને નેતાએ સાથે મળીને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો. 

 તેમજ હાઇવે માટે એક ઈંચ જમીન પણ હવે ખેડૂતો આપવા તૈયાર નથી અને જૂના હાઇવેને પહોળો કરવામાં આવે તેવી તંત્રને આદિવાસી આગેવાનોએ હાંકલ કરી છે.

જમીન માપણીની કામગીરી સ્થગિત કરાય તેવી ખેડૂતોની માગ! 

અગાઉ પણ જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પણ તેમની વાત ન સંભળાતા તેઓ સરકારી કચેરી સુધી પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો. આદિવાસી લોકો અને ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો તો કે જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી સરકાર જમીન માપણીની કામગીરી ના કરે. નર્મદાનો વિવાદ અહીં એમ છે કે દિલ્લી મુંબઈ ફોર લેન રોડ માટે કામગીરી ચાલુ છે. 

 તાપીના વ્યારા તેમજ ડોલવણ તાલુકાના નેશનલ હાઈવે 56ના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ગામના લોકોમાં ઘણા સમયથી ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્રએ જે-તે ગામના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત ગામમાં જમીન સંપાદનને લઈને ગેરકાયદેસર રીતે ઠરાવ કર્યા હોવાના આદિવાસી આગેવાનોએ આક્ષેપ કર્યા છે.

અધિકારીઓ સાથે આ મામલે કરી બેઠક!

શામળાજીથી હાલોલનો ફોર લેન રોડ તૈયાર છે પણ તેને આગળ વધારવા માટે નર્મદાના તિકવાડા, ગરુડેશ્વર અને નાંદોદના ગામડાઓમાંથી રોડ પસાર કરવો પડે... તો આ વિસ્તારના ગામડાઓમાં જમીન સંપાદન માટે ખેડૂતોના ખેતરોની માપણી શરૂ કરવાની છે. ખેડૂતો જમીન આપે તેના માટે નાંદોદમાં પ્રાંત અધિકારીએ બેઠક કરી હતી... જેમાં ખેડૂતો હાજર તો રહ્યા હતા પણ જમીન માપણી અને સંપાદનનો વિરોધ કર્યો હતો


કયા હાઈવેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ!

જે નેશનલ હાઈવે છપ્પનની વાત થઈ રહી છે તેની પણ વાત કરીએ. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ચિતૌડગઢથી ગુજરાત પહોંચતો નેશનલ હાઈવે બનાવ્યો. કુલ 310 કિલોમીટરનો આ હાઈવે રાજસ્થાન મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પહોંચે છે. તે જ હાઈવેમાં બાયપાસની કામગીરીનો આદિવાસી વિરોધ કરી રહ્યા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!