ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૨૦ મી માર્ચથી શરૂ જયારે ૩૦મી અપ્રિલથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-21 18:41:41

ઉત્તરાખંડમાં ૩૦ મી અપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ૨૦ મી માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થી છે. પ્રથમ દિવસેજ ૧.૬૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન  કરાવ્યું છે. 

ગત વર્ષે ૪૦ લાખ ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા હતા જેમાંથી ૪૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે મહાકુંભમાં ના સફળ આયોજન બાદ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. 

૩૦મી અપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી જયારે ૨ જી મે ના રોજ કેદારનાથ અને ૪ થી મે ના બદ્રીનાથના કપાટ ખૂલશે. હેમકુંડ સાહિબ યાત્રા ૨૫ મેથી શરૂ થશે.. 


હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે માટે registrationandtouristcare.uk.gov.in પરથી કરી શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ કનેક્ટ હોવું જોઈએ. નોંધણી પોર્ટલ પર આધાર નંબર રજીસ્ટર કરવાની સાથેજ જે તે વ્યક્તિની તમામ વિગતો આવી જશે. 

ઓફલાઇન રજીસ્ટ્રેશન ૩૦ મી અપ્રિલથી શરૂ થશે. તેના માટે યાત્રાળુઓએ ઋષિકેશ ,હરિદ્વાર કે દહેરાદૂન રૂબરૂ જવું પડશે. આધાર અને અન્ય ઓળખપત્ર સાથે રાખવાના રહશે. સુવિધા માટે ૪ ૪ કાઉન્ટર બનવામાં આવ્યા છે. ધસારો વધશે તો વધુ કાઉન્ટર ઊભા કરાશે. 

કોઈપણ યાત્રાળુઓ ઉપરોક્ત જગ્યાએ થી રજીસ્ટ્રેશન બાદ યાત્રાની તારીખ મેળવી શકશે. જ્યાં સુધી યાત્રાળુઓને તારીખ ના મળે ત્યાં સુધી રહેવા અને ભોજન વ્યવસ્થા સ્વ કરવાની રહશે. રજીસ્ટર વિના યાત્રા કરનાર પર પગલાં લેવાશે માટે પરવાનગી વિના યાત્રા કરવાની મનાઈ છે. યાત્રા દરમિયાન દરેક યાત્રાળુઓએ અસ્થમા,બલ્ડપ્રેશર,સુગર -ડાયાબિટીસ કે હાર્ટ -ફેફસા સંબધિત બીમારી હોય તો તે જાણવું ફરજિયાત છે. યાત્રા ઓછામાં ઓછી ૯ દિવસ ને વધું વધુ ૧૫ દિવસમાં પૂર્ણ કરવાની રહશે. ૯ દિવસથી ઓછા સમય માટેની યાત્રા જો કોઈ ટુર ઓપરેટર કરાવે તો ચેકપોસ્ટ પર ફરિયાદ કરી શકાશે.  અનાગત વાહન લઈને નીકળ્યા હોય તો વાહન નંબર અને ડ્રાઇવરના દસ્તાવેજ સાથે રાખવા અને જયાં માંગે ત્યાં રજૂ કરવા પડશે. 

   કેદારનાથ માટે હેલીકોપ્ટર સર્વિસ માટે રજીસ્ટ્રેશન heliyatra.irctc.co.in પરથી કરી શકાશે. ગત વર્ષે એક ત્રિપણું ભાડું ૪ હજાર હતું આ વખતે સરકાર હજી નક્કી કરશે..   






થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!