મોરબી દુર્ઘટનાઃ મચ્છુનું પાણી કાઢવા સદિઓ જૂની દિવાલ તોડવામાં આવી રહી છે, તે એટલા માટે નથી તૂટતી કારણ ત્યારે 'કટકી પ્રથા' નહોતી


  • Published By :
  • Published Date : 2022-10-31 08:47:34

મોરબીમાં તંત્રના વિવિધ એકમો એક દિવાલ તોડવા માટે મથી રહ્યા છે, ઘા પર ઘા મારવામાં આવી રહ્યા છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ જ નથી લઈ રહી. કારણ કે આ દિવાલ લોકોની સુખાકારી માટે કામ કરતા રાજાના સમયમાં બનેલી છે. જ્યારે અત્યારની જેમ કેવી રીતે કટકી કરવી તેવું નહીં, પરંતુ લોકોને વધુ સુવિધા કેવી રીતે મળી શકે તેને ધ્યાનમાં લઈને કામો કરવામાં આવતી હતી.  આ દિવાલનું નિર્માણ મોરબીના રાજા સર વાઘજીએ કરાવ્યું હતું......


આ પુલમાં કટકી નહોતી થઈ આથી સદિઓથી અડીખમ ઉભો છે

એક બાજુ મોરબીમાં થોડા દિવસો પહેલા જ સમારકામગીરી બાદ લોકો માટે ખુલ્લો મૂકાયેલો પુલ તૂટી જાય છે. અને બીજી બાજુ 1887માં રાજાઓના સમયમાં બનાવેલા પુલ પાસેની દિવાલ તૂટવાનું નામ નથી લઈ રહી. તંત્ર રાતથી મચ્છુ નદીમાંથી પાણી કાઢવા માટે દિવાલ તોડવાનું કામ કરી રહી છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ નથી લઈ રહી. અને તૂટે પણ કેમ? કારણ કે આ દિવાલ બનાવવા સમયે કામ પોતાના ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે થતું હતું. આ દિવાલ છે રાજાઓના સમયમાં બનેલી. અત્યારના ભ્રષ્ટાચારના પુલો જેમ ખુલ્લા મૂકાયા પહેલા તૂટી જાય છે કે મોરબીના ઝુલતા પુલની જ વાત કરીએ તો સમારકામના થોડાં જ દિવસોમાં તૂટી ગયો છે તેવી દિવાલ નથી. આ દિવાલ મોરબીના એ રાજાઓએ લોકો માટે બનાવી હતી. મચ્છુમાં હજુ પણ જેટલા લોકો ફસાયેલા છે જેમના મૃતદેહો નથી મળ્યા તેને શોધવા માટે મચ્છુના થોડા વિસ્તારને ખાલી કરવાનો ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી જેટલા લોકો હજુ નથી મળ્યા તેને તેમના પરિવારને સોંપી શકાય. કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ મચ્છુમાંથી પાણી કાઢવા માટે પુલ છે તે તૂટી નથી રહ્યો. રાજાઓના સમયમાં બનેલા આ પુલ પર ધમાકા કરવામાં આવ્યા, તમે ફોટોમાં જોઈ શકો છો કે જેસીબી મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. રાતની સવાર થઈ પરંતુ દિવાલ નથી તૂટી. સરકારોને આ શિખવું જોઈએ. આપણા રાજાઓ પાસેથી લોકોની સેવાના પાઠ ભણવા જોઈએ કે એક દિવાલ જે 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી તે તૂટી નથી રહી અને એક બાજુ ગુજરાતના રોડ-પૂલ વગેરે ઉદ્ઘાટનના મહિનાઓની અંદર તૂટી જાય છે. અને તૂટવા પણ જોઈએ ને કારણ કે આનાથી જ તો કોન્ટ્રાક્ટર અને નેતાઓના ખિસ્સામાં રૂપિયા આવતા હોય છે. જો રોડ-પુલ વગેરે બાંધકામો ટૂંક સમયમાં તૂટશે તો નવું ટેન્ડર બહાર પડશે. ફરીવાર રસ્તા બનાવાશે, વધારે રૂપિયા મળશે. પ્રજાના પૈસાનું જે થાય તે પણ આપણા ઘર ભરાવા જોઈએ. 


આપણે જાગવું પડશે બાકી અઘરું થઈ જશે

અત્યારે ગુજરાતની જનતાને પણ જાગવાની જરૂર છે કારણ કે જો આવું જ થતું રહેશે, તો અઘરું થઈ જશે. આપણે મોરબીના એ વ્યક્તિની વેદના નહીં સમજી શકીએ જેણે પોતાની પત્ની ગુમાવી છે, જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે, જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે તે તકલીફ તો તે જ જાણે જેણે ગઈકાલ રાત્રે કોઈને અને કોઈકને ગુમાવ્યા છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણી યાદ શક્તિ બહુ નબળી છે, જેનો નેતાઓ વગેરે ફાયદો લેય છે અને પોતાના મકાનને મહેલા બનાવી દેય છે અને દેશની જનતા ત્યાં ને ત્યાં જ રહી જાય છે. આપણે અમદાવાદની કાંકરિયાની એ જોય રાઈડની દુર્ઘટના ભૂલી ગયા છીએ, આપણે સુરતની એ તક્ષશિલા આગ કાંડની ઘટના ભૂલી જઈએ છીએ હજુ ગણાવવા બેસીશું તો આંગળીઓના વેઢા ઓછા થઈ પડશે, અઢળક ઘટનાઓ છે જે ઘટે છે લોકો મરે છે, તપાસ સમિતિ રચાય છે, તપાસ લટકે છે અને આપણે ભૂલી જઈએ એટલે તેનો ફાયદો લેવામાં આવે છે. ભ્રષ્ટાચાર વધે છે અને કોન્ટ્રાક્ટર અને નેતાઓના અને ઉદ્યોગપતિઓના ઘર ભરાય છે, હજુ પણ સમય છે જાગી જાવ ગુજરાત. લોકોના જીવનો સવાલ છે. આંકડાઓ વધશે ત્યારે જ આપણે સતર્ક થઈએ છીએ. આવી ભ્રષ્ટાચારની ઘટનાઓ એટલા માટે થઈ શકે છે કારણ કે સારા લોકો કંઈ બોલતા નથી. હવે બોલવું પડશે નહીં તો આજે કોઈના પરિવારના સ્વજનો ગયા છે કાલે ભ્રષ્ટાચારનો ભોગ આપણા પરિવારના લોકો પણ બની શકે છે. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.