કેન્દ્ર સરકારે CBIને Oxfam ઈન્ડિયાની તપાસ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-06 20:49:19

કેન્દ્રએ CBIને Oxfam ની તપાસ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે ફોરેન ફંડ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપોના મામલામાં તપાસ એજન્સીને આ નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે Oxfamની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યા બાદ Oxfam ભારતની મુશ્કેલી વધી ગઈ છે. આ તપાસ ઈન્ડિયન ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010)ના ઉલ્લંઘન સાથે સંબંધિત મામલામાં કરવામાં આવશે. Oxfam India પર એવા આરોપો છે કે તેણે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 અમલમાં આવ્યા પછી પણ વિવિધ સંસ્થાઓને વિદેશી યોગદાનનું ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ કાયદા હેઠળ આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ છે.


IT સર્વે દરમિયાન અનેક ખુલાસા થયા


 Oxfam India "સામાજિક" પ્રવૃત્તિઓ માટે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010) હેઠળ નોંધાયેલું હતું અને તેની નોંધણી પ્રમાણપત્ર 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા હાથ ધરવામાં આવેલા IT સર્વે દરમિયાન મળેલા એક ઈમેલથી જાણવા મળ્યું કે Oxfam ઈન્ડિયા FCRA- તેના અન્ય રજીસ્ટર્ડ યુનિટને પૈસા મોકલીને FCRA, 2010ની જોગવાઈઓને બાયપાસ કરવાની યોજના બનાવી રહ્યું હતું. તપાસ દરમિયાન એ હકીકત પણ બહાર આવી હતી કે Oxfam ઈન્ડિયા પોતાના ફાયદા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા રાખવાની યોજના બનાવી રહ્યું હતું. વળી Oxfam ઈન્ડિયાને વિદેશી સંસ્થાઓ પાસેથી પણ ભંડોળ મળતું હતું. જો કે, આ મામલે  Oxfam તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


NGO સામે સરકારનો સપાટો


Oxfam Indiaએ બીજી એનજીઓ છે જેની સામે ગૃહ મંત્રાલયે FCRAના કથિત ઉલ્લંઘન માટે એક મહિનાની અંદર CBI તપાસની ભલામણ કરી છે. અગાઉ 20 માર્ચે ગૃહ મંત્રાલયે લેખક અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદર દ્વારા સ્થાપિત NGO અમન બિરાદરી સામે CBI તપાસની ભલામણ કરી હતી. જાન્યુઆરી 2022માં Oxfam ઇન્ડિયાનું FCRA લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના પગલે NGOએ ગૃહ મંત્રાલયમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!