આનંદો! કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજ દરો વધાર્યા, PPF,NSC,KVC અને સુકન્યા સમૃદ્ધિના બચતકર્તાઓેને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-04-02 15:47:42

કેન્દ્ર સરકારની નાની બચતોમાં રોકાણ કરતા રોકાણકારોને કેન્દ્ર સરકારે ગુડ ન્યૂઝ આપ્યા છે,  કેન્દ્ર સરકારે આજે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજના, માસિક આવક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC),કિસાન વિકાસ પત્ર (KVC) તથા તમામ બાંધી મુદતની થાપણ યોજના પર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટેના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)માટેના વ્યાજ દરને 7.1 ટકાના સ્તરે  જાળવી રાખ્યો છે.


વ્યાજ દર કેટલા વધ્યાં?


કેન્દ્ર સરકારે કહ્યું છે કે PPF તથા બેંકમાં બચત જમા પર વ્યાજ દર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે 7.1 ટકા અને ચાર ટકાના લેવલ પર યથાવત રાખ્યા છે. અન્ય બચત યોજનામાં વ્યાજ દરોમાં 0.1 ટકાથી 0.7 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.વ્યાજમાં સૌથી વધારે વધારો રાષ્ટ્રીય બચત પત્ર (NSC)માં કરવામાં આવ્યો છે. એપ્રિલથી 30 જૂન,2023 માટે હવે આ વ્યાજ દર 7.7 ટકા મળશે,જે અત્યાર સુધી 7.0 ટકા હતા. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ માટે વ્યાજ દર 7.2 ટકાથી વધારી 7.6 ટકા કરવામાં આવ્યો છે.કિસાન વિકાસ પત્ર હવે 120 મહિનાને બદલે 115 મહિનામાં મેચ્યોર (પાકશે) થશે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજના માટે વ્યાજ દર 8 ટકાથી વધારી 8.2 ટકા તથા કિસાન વિકાસ પત્ર (KVC) માટે 7.2 ટકાથી વધારી 7.6 ટકા કરવામાં આવ્યા છે.


ટાઈમ ડિપોઝીટ્સ પરના વ્યાજ દરમાં પણ વધ્યાં


કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની એક, બે, ત્રણ અને પાંચ વર્ષની ટાઈમ ડિપોઝીટ્સ પરના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. હવે એક વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.8 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી 6.6 ટકા વ્યાજ મળતું હતું. બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9 ટકા વ્યાજ મળશે. અગાઉ આ દરનો વ્યાજ દર 6.8 ટકા હતો. એ જ રીતે ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.9 ટકાથી વધારીને 7.0 ટકા કરવામાં આવ્યો છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!