કેન્દ્ર સરકાર ગરીબ પરિવારને આપશે મફત અનાજ, સૈન્યબળોને માટે લાગુ કરાશે OROP


  • Published By :
  • Published Date : 2022-12-24 11:51:13

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયા નિર્ણયોથી સૈનિકોની ફાયદો થશે ઉપરાંત ગરીબોને પણ આ નિર્ણયને કારણે ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે સૈન્યબળો માટે વન રેંક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.3 કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે. 


જવાનોને મળશે લાભ 

થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે જવાનોને તેમજ ગરીબ પરિવારને મોટી ભેટ આપી છે. વન રેન્ક વન પેન્શન યોજનાની વાત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 1.7.2014 પછી નિવૃત્ત થયેલા સરુક્ષાકર્મીઓને ઓઆરઓપીનો લાભ આપવામાં આવશે. આ લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા 25,13.002 પર પહોંચી ગઈ છે. 



2023 સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે 

ઉપરાંત ગરીબ પરિવારને લાભ અંગેની વાત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી હતી. પીયુષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 81.3 કરોડ લોકોને આવનાર એક વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે. આ યોજનાને કારણે સરકાર પર બે લાખ કરોડ રૂપિયાનો બોજો વધશે. ગરીબોને ચોખા ત્રણ રૂપિયે અપાશે, ઘઉં 2 રૂપિયામાં આપવામાં 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.