Paper Leakને રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં, NEET વિવાદ વચ્ચે એન્ટી પેપર લીક કાયદો લાગુ જેમાં 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-22 12:38:25

દેશમાં પેપર લીક થવું જાણે સામાન્ય બની ગયું છે.. પેપર લીક થવાની ઘટનાઓ અનેક વખત આપણી સામે આવે છે.. થોડા દિવસોની અંદર આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં પરીક્ષાને લઈ વિવાદ ચાલતો હોય છે કે આખે આખી પરીક્ષાને જ રદ્દ કરવામાં આવી હોય.. પેપર લીક કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પેપર લીકને લઈ ફેબ્રુઆરી મહિનામાં કાયદો લાવી છે અને ગઈકાલે તે કાયદાનો અમલ કરવામાં આવ્યો.. જેમાં પેપર લીક કરનારને 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે...   

Image


પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપના અધૂરા રહી જાય..

જ્યારે જ્યારે પેપર ફૂટે છે તેની સાથે સાથે ઉમેદવારોના સપના પણ તૂટે છે.. પરીક્ષાને પાસ કરવા માટે ઉમેદવારો દ્વારા ,વિદ્યાર્થીઓ દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવતો હોય છે.. એમ માનીને તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે હમણા કરેલી મહેનત તેમને આગળ જતા કામ લાગશે. પરંતુ જ્યારે પેપર ફૂટે અને પરીક્ષા રદ્દ કરવાની નોબત આવે છે ત્યારે તે ઉમેદવારોએ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. 



પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે લાગુ કર્યો કાયદો

NEET,UGC-NET પરીક્ષાઓને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક  મહત્વનો કાયદો લાવવામાં આવ્યો છે પેપર લીકને રોકવા માટે.. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરિતીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એનટીએ ચર્ચામાં રહ્યું છે. એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષા અનેક ચર્ચામાં રહી.. પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો ફેબ્રુઆરીમાં પાસ કરવામાં આવ્યો જેનો અમલ 21 જૂન 2024ના મોડી રાત્રે કરવામાં આવ્યો. સરકારે કાયદાને લઈ જાહેરનામું બહાર પાડ્યું. કાયદા  પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  અનેક મોટી પરીક્ષાઓનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.  




દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.