રાજ્યને GSTના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ.7183 કરોડ 61 લાખનું લેણું બાકી


  • Published By :
  • Published Date : 2023-03-27 15:41:21

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્ય સરકારને મળતા જીએસટી વળતરનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી જીએસટી વળતર પેટે કેટલી રકમ મળી તે અંગે સવાલ કર્યો હતો. જેનો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો.


ડો. સી. જે. ચાવડાએ શું સવાલ કર્યો?


ધારાસભ્ય સી.જે. ચાવડાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 31-12-2022ની સ્થિતીએ રાજ્યને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં કેટલી રકમ લેવાની થાય છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ કર્યો કે તે પૈકી કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી મળી? વર્તમાન સ્થિતીએ કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને લેવાની બાકી નિકળે છે? તથા આ બાકીની રકમ લેવા માટે રાજ્ય સરકાર શું પ્રયાસો કરી રહી છે?


સરકારને કેટલું GST વળતર મળ્યું?


સી.જે. ચાવડાના સવાલનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં એ.જી ઓડીટ અન્વયે રૂ.26,993.02 કરોડ જ્યારે વર્ષ 2021-22માં રૂ.20,211.06 કરોડ જેટલી રકમ લેવાની બાકી છે. 


રાજ્ય  સરકારને જીએસટી વળતર તરીકે રૂ.17758.26 કરોડની રકમ મળી નથી તેની સામે લોન પેટે રૂ. 22262.21 કરોડ મળેલ છે. જેની વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર સેસ ફંડમાંથી કરશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને રૂ.7183.61 કરોડ જેટલી રકમ લેવાની બાકી નિકળે છે.


રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી લેવાની નિકળતી બાકીની રકમ મળે તે માટે ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (કોમ્પેન્સેશન ટુ સ્ટેટસ) એક્ટ, 2017ની કલમ-7 હેઠળ એડિટર જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાણા વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલય સાથે સંકલન કરવામાં આવેલ છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!