આ કામ માટે હવે કેન્દ્રીય કર્મચારીઓને મળશે 42 દિવસની રજા, મોદી સરકારે નવી રજા નીતિ જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-04-28 16:57:30

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મળનારી રજાને લઈને મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે અંગદાન કરનારા કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે. અંગદાન કરતા કર્મચારીઓની મોટી સર્જરીને ધ્યાનમાં રાખીને તેમની રજાઓ હવે 42 દિવસ કરવામાં આવી છે. આ સ્પેશિયલ કેઝ્યુએલ લીવ અંગદાન કરનારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરવામાં આવી છે. 


30 દિવસથી વધારીને 42 દિવસની રજા


કેન્દ્ર સરકાર આ પહેલા આ કામ માટે 30 દિવસની રજા આપવામાં આવતી હતી. જે વધારીને હવે 42 દિવસની કરવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી અંગદાન કરનારા કર્મચારીઓને લાભ થશે. જો કે સરકારનો આ નિયમ રેલ્વે, ઓલ ઈન્ડિયા સર્વિસીસ કર્મચારીઓને લાગુ પડશે નહીં. જો કે કર્મચારીઓની આ રજા ત્યારે જ મંજુર થશે જ્યારે કોઈ સરકાર માન્ય ડોક્ટર દ્વારા તે અંગે ભલામણ કરવામાં આવી હોય. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.