આ કામ માટે હવે કેન્દ્રીય કર્મચારીઓને મળશે 42 દિવસની રજા, મોદી સરકારે નવી રજા નીતિ જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-04-28 16:57:30

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મળનારી રજાને લઈને મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે અંગદાન કરનારા કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે. અંગદાન કરતા કર્મચારીઓની મોટી સર્જરીને ધ્યાનમાં રાખીને તેમની રજાઓ હવે 42 દિવસ કરવામાં આવી છે. આ સ્પેશિયલ કેઝ્યુએલ લીવ અંગદાન કરનારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરવામાં આવી છે. 


30 દિવસથી વધારીને 42 દિવસની રજા


કેન્દ્ર સરકાર આ પહેલા આ કામ માટે 30 દિવસની રજા આપવામાં આવતી હતી. જે વધારીને હવે 42 દિવસની કરવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી અંગદાન કરનારા કર્મચારીઓને લાભ થશે. જો કે સરકારનો આ નિયમ રેલ્વે, ઓલ ઈન્ડિયા સર્વિસીસ કર્મચારીઓને લાગુ પડશે નહીં. જો કે કર્મચારીઓની આ રજા ત્યારે જ મંજુર થશે જ્યારે કોઈ સરકાર માન્ય ડોક્ટર દ્વારા તે અંગે ભલામણ કરવામાં આવી હોય. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.