કાચા કામના કેદીઓને દંડ અને જામીન માટે સરકાર નાણાકીય મદદ કરશે, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-07 20:26:44

કેન્દ્ર સરકારે જેલમાં બંધ કાચા કામના કેદીઓ માટે નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ કેદીને આર્થિક મદદ કરશે. સરકારનું માનવું છે કે આનાથી જેલોમાં વધી રહેલું ભારણ પણ ઓછું થશે.



કેદીઓને આર્થિક મદદ


ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ યોજના સામાજિક રીતે નબળા, અભણ અને ગરીબ કેદીઓ જેવા ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરશે. આ યોજનાથી સરકાર તેમને જેલમાંથી બહાર આવવા માટે આર્થિક મદદ કરશે. યોજનાનો લાભ જેલમાં બંધ ગરીબ લોકો સુધી પહોંચે તે માટે ઈ-જેલ પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવશે. કાનૂની સેવા સંસ્થાઓને પણ મજબૂત કરવામાં આવશે.


કેન્દ્ર સરકાર મદદ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ-2023માં ગરીબ કેદીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ દંડ અથવા જામીનની રકમ ચૂકવી શકતા નથી. ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકાર અન્ડર ટ્રાયલ કેદીઓની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લઈ રહી છે. મંત્રાલયે કહ્યું કે IPCમાં કલમ 436A અને CrPCમાં એક નવા પ્રકરણ  XXIA પ્લી બાર્ગેનિંગનો સમાવેશ કરવામાં આવશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.