કેન્દ્રએ કહ્યું કોરોના વેક્સિનના 22 લાખ ડોઝ બગડ્યા, પરંતુ ગુજરાતના આરોગ્યમંત્રીએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-05 15:20:34

ફરી એક વખત કોરોનાએ માથુ ઉંચક્યું છે. ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે લોકો એકાએક વેક્સિન લેવા પ્રોત્સાહિત થયા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં વેક્સિનના ડોઝ બગડવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં રસીના એક પણ ડોઝ બગડ્યા નથી.   

Gujarat CM Bhupendra Patel Oath Ceremony Live Updates: ભૂપેન્દ્ર પટેલના નવા  મંત્રી મંડળમાં ઋષિકેશ પટેલને સ્થાન, જાણો તેમની રાજકીય સફળ


કોરોના વેક્સિનની માગ એકાએક વધી 

વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે હાહાકાર વ્યાપી ઉઠ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અનેક લોકોના મોત પણ થયા છે. ભારતમાં પણ વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. લોકો વેક્સિન લગાવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. કોરોનાની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ન ફેલાય તે માટે લોકો વેક્સિન લેવા પડાપડી રહ્યા છે. વધતી માગને જોતા વેક્સિનનો ડોઝ મંગાવવામાં આવ્યો છે.

corona vaccine health ministry said vaccine will be cheaper from abroad ag  News18 Gujarati


પૂરતો સ્ટોક રાખવા તંત્રની તૈયારી 

કોરોના કેસ વધતા વેક્સિન લગાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એકાએક લોકો વેક્સિન લેવા માટે લોકો બહાર આવી રહ્યા છે. વેક્સિનનો પૂરતો જથ્થો રાખવા સરકાર પ્રયત્ન કરી રહી છે.   ગુજરાત સરકારે વેક્સિનનો સ્ટોક પણ મંગાવ્યો છે. 


વેક્સિનનો એક પણ ડોઝ બગડ્યો નથી - ઋષિકેશ પટેલ 

કોરોનાની વધતી માગ વચ્ચે એક સમાચાર આવ્યા હતા જે અનુસાર વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં બગડી ગયો હતો. આ વાત પર સ્પષ્ટતા કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં એક પણ રસીનો ડોઝ નથી બગડ્યો. સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી જે ડોઝ મળ્યા હતા તેનો ઉપયોગ પૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો જથ્થો બગડ્યો ન કહેવાય.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.