દેશમાં વસ્તી ગણતરી ક્યારે યોજાશે, કેન્દ્ર સરકાર શા માટે ટાળી રહી છે?


  • Published By :
  • Published Date : 2023-01-09 15:25:09

દેશભરમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે? મોદી સરકાર સામે સતત આ સવાલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોનાનું બહાનુ ધરીને કે બીજા અન્ય કારણો આપીને દેશમાં વસ્તી ગણતરી કરાવવાનું ટાળી રહી છે. વિરોધ પક્ષો ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓ બસપા, આરજેડી, સપા અને જેડીયું મોદી સરકાર પર જાતિ આધારીક મતગણતરી કરાવવાનું  દબાણ કરી રહી છે. જો કે મોદી સરકાર ટસની મસ થતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી.


શા માટે વસ્તી ગણતરી ટાળવામાં આવે છે?


કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીની તારીખો આગળ વધારી રહી છે. પહેલા 31 ડિસેમ્બર 2019 પછી 31 માર્ચ 2021, 31 ડિસેમ્બર 2021, 31 ડિસેમ્બર 2022 અને હવે 30 જુન 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે નિષ્ણાતો આ તારીખને પણ છેલ્લી માનતા નથી. કેટલાક વસ્તી નિષ્ણાતોના માને છે કે વસ્તી ગણતરી ટાળવાનું એક કારણ OBC વર્ગનું વધવાનું છે. વર્તમાનમાં માત્ર અનુસુચીત જાતિ(SC) અને જનજાતિની(ST) વર્ગની સંખ્યાની જ વસ્તી ગણતરી થાય છે. હવે અનેક રાજ્યો જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાની માગ કરી રહ્યા છે. ખાસ કરીને OBC વર્ગની વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે. કેન્દ્ર સરકાર આ ઝંઝટમાં પડવા માંગતી નથી તેથી વસ્તી ગણતરીની કવાયત ટાળી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.