જેવા સાથે તેવા, ભારતે દિલ્હી સ્થિત બ્રિટિશ દુતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-22 16:54:43

દિલ્હીમાં બ્રિટિશ દૂતાવાસની બહાર તૈનાત સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવાર (22 માર્ચ, 2023) ના રોજ 2 રાજાજી માર્ગ ખાતે બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સને દૂર કરવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. ભારત સરકારના આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે.


લંડનમાં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ થઈ હતી


બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. આ પગલાને યુકેમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનના પરિસરની બહાર કોઈ દેખીતી સુરક્ષા નથી. રવિવારે ખાલિસ્તાન તરફી નારા લગાવતા લોકોના એક જૂથે અહીં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ કરી હતી.


બ્રિટિશ હાઈ કમિશનની બહાર 12 બેરિકેડ દૂર કરાયા


દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની સૂચનાને પગલે બ્રિટિશ હાઈ કમિશન અને ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઈ કમિશનરના આવાસની બહારથી લગભગ 12 બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા, એમ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે અમે સુરક્ષાના મામલાઓ પર કોઈ ટિપ્પણી કરતા નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.