Kevadiya ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM Modiએ સરદાર પટેલને કર્યા યાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 11:24:27

31 ઓક્ટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી... ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે સિંહ ફાળો આપ્યો હતો. 550થી વધુ રજવાડાઓને તેમણે સમજાવ્યા હતા અને તે બાદ રજવાડાઓએ પોતાનું સામ્રાજ્ય આપ્યું હતું. પીએમ મોદીએ જ્યારથી સત્તા સંભાળી તે બાદ આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન થાય છે. પરેડમાં પીએમ મોદી ઉપસ્થિત છે. વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી છે.  દેશના વિવિધ રાજ્યોમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને સંબંધિત પણ કર્યા હતા.  

દેશવાસીઓને પીએમ મોદીએ લેવડાવ્યા શપથ

દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતના શિલ્પી ગણતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી છે. દેશના વિવિધ રાજ્યોમાં આ દિવસની ઉજવણી કરાય છે પરંતુ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે. એસઓયુ ખાતે આ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ આ એકતા પરેડમાં ઉપસ્થિત છે. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા, તેમના ચરણોમાં નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના શપથ પણ લેવડાયા હતા.


હેરિટેજ ટ્રેનની પીએમ મોદી કરાવશે શરૂઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કરાયેલી પરેડમાં અર્ધ લશ્કરી દળો તેમજ પાંચ રાજ્યોની પોલીસ જોડાઈ હતી.પીએમ મોદી સમક્ષ તેમણે પરેડ કરી હતી. પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કમલમ પાર્કને તેઓ લોકો માટે ખુલ્લો મુકશે. તે ઉપરાંત પીએમના હસ્તે હેરિટેજ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ ટ્રેન અમદાવાદથી દર રવિવારે સાંજે 6.00 વાગ્યાની આસપાસ ઉપડશે અને 10 વાગ્યાની આસાપસ કેવડિયા પહોંચાડશે. આ ટ્રેનમાં 140થી વધુ મુસાફરો પ્રવાસ કરી શક્શે. આ ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત એકતાનગર ખાતેથી તેઓ 196 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તેમજ ઉદ્ધાટન કરવાના છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!