સીબાઆઈએ પાઠવ્યું તેજસ્વી યાદવને સમન્સ, લેન્ડ ફોર જોબ્સ કેસમાં કરાઈ કાર્યવાહી, બીજી વખત પૂછપરછ માટે સમન્સ મોકલાયું


  • Published By :
  • Published Date : 2023-03-11 17:39:03

થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. પટના ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈએ જમીનના બદલે નોકરી આપવાના કેસને લઈ આ તપાસ કરી હતી. ત્યારે હવે સીબીઆઈએ તેજસ્વી યાદવને પણ સમન્સ મોકલ્યું છે. આ કેસમાં ઈડી બાદ સીબીઆઈ પણ સક્રિય થઈ છે. શનિવારે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવ્યું હતું અને આજે બીજી વખત તેમને સમન્સ પાઠવામાં આવ્યું હતું.   


સીબીઆઈએ તેજસ્વી યાદવને પાઠવ્યું હતું સમન્સ 

જમીન સામે નોકરીના કેસ અંતર્ગત ઈડી દ્વારા લાલુ પ્રસાદના નજીકના લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી. નજીકના મિત્રો અને સંબંધીઓના સ્થોના પર તપાસ દરમિયાન 55 લાખ કેશ, 540 ગ્રામ જેટલું સોનું, 1900 અમેરિકન ડોલર સહિત 1.5 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સીબીઆઈએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવ્યું તેની પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 2017માં પણ દરોડા પડ્યા હતા, ત્યારબાદ અમે અલગ થઈ ગયા. 5 વર્ષ વીતી ગયા અને હવે અમે એક સાથે આવ્યા છીએ, એટલે ફરીથી રેડ થઈ છે. હવે આ અંગે બીજું તો હું શું કહ્યું.


લાલુ યાદવના સંબંધીઓના ઘરે કરવામાં આવી તપાસ 

તપાસ એજન્સી ઘણા સમયથી એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે આ મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી, મંબઈ, નોઈડા અને પટનામાં રહેતા લાલુ પ્રસાદ યાદવના નજીક સંબંધીઓ તેમજ મિત્રોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં તેજસ્વી યાદવનું ઘર, લાલુની ત્રણ દીકરીઓના ઘરે તેમજ લાલુના સાળા જિતેન્દ્ર યાદવના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 15 જેટલી જગ્યાઓ પર તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. 


કાર્યવાહી પર આવી અનેક પ્રતિક્રિયા 

આ દરોડા પર અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે લાલુ યાદવે કહ્યું કે સંઘ અને ભાજપ સામે મારી વૈચારિક લડાઈ છે અને ચાલુ રહેશે. મેં ક્યારેય નમતું જોખ્યું નથી. મારા પરિવાર અને પક્ષમાંથી કોઈ તમારી રાજનીતિ સામે ઝૂકશે નહીં. તે ઉપરાંત લાલુ યાદવની પુત્રીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઈડીની કાર્યવાહીનો વીડિયો શેર કર્યો છે અને ટ્વિટ કર્યું કે સેપ્ટિર ટેન્ક ખોદવાથી ગેસ મળ્યો, ચા બનાવવા માટે મોદી સાહેબ માટે ટ્રરકો ભરીને જમાઈ લઈ ગયા છે. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મોદીજીએ છેલ્લા 14 કલાકથી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે ઈડીને બેસાડી રાખી છે.        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!