રાબડી દેવીના ઘરે સીબીઆઈના દરોડા, આ મામલે કરવામાં આવી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-03-06 12:52:48

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. પટના ખાતે સ્થિત તેમના ઘર પર સીબીઆઈની ટીમ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટીમ રાબડી દેવીના ઘરે જ છે જ્યારે ડે.સીએમ તેજસ્વી વિધાનસભાની કાર્યવાહી માટે નીકળી ગયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી આઈઆરસીટીસી કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવે નોકરી આપવાના મામલામાં કરવામાં આવી છે.  

શું હતો સમગ્ર મામલો?  

આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ મામલો લગભગ 14 વર્ષ જૂનો છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડામાં થયો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

થોડા વર્ષો પહેલા પણ સીબીઆઈએ કરી હતી કાર્યવાહી  

તપાસમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વે અવેજીમાં ભરતી માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. પરંતુ જે પરિવારને જમીન આપી હતી તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરિવાર પર જમીનના બદલે સાત જેટલા ઉમેદવારોને નોકરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાબડી દેવીના ઘરે તપાસ કરવા 12 અધિકારીઓ પહોંચ્યા છે. લેંડ ફોર જોબ સ્કેમમાં સીબીઆઈની ચાર્જસીટના આધારે કોર્ટે સમન્સ પણ બહાર પાડી દીધું છે. ચાર્જસીટમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી સિવાય બીજા 14 લોકોના નામ લખવામાં આવ્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.  વર્ષ 2022માં સીબીઆઈ દ્વારા લાલુ યાદવ, રાબડી દેવી સહિત તેમના પરિવારજનો તેમજ તેમના નજીક ગણાતા લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!