ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલની CBIએ કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:21:16

આઝાદ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌંભાંડ આચરી ફરાર થયેલા એબીજી શિપયાર્ડના ચેરમેનની ધરપકડ કરાઈ છે.  સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા ગુજરાત સ્થિત શિપિંગ કંપની  એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842  હજાર કરોડ બેન્ક ફ્રોડની તપાસ કરી રહી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં ઋષિ અગ્રવાલ સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે. 


28 બેન્કો સાથે 22,842 કરોડની છેતરપિંડી  


સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે એબીજી શિપયાર્ડના ઋષિ અગ્રવાલે 28 બેન્કો સાથે 22,842 કરોડની ઠગાઈ કરી છે. એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842  કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સમાચાર બહાર આવતા દેશના આર્થિક ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દેશની તમામ મોટી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇને આ કૌંભાડથી મોટો આર્થિક ફટકો પડ્યો છે.


બનાવટી પ્રોજેક્ટ હેઠળ મેળવી હતી લોન 


એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને બીજા આરોપીઓએ 2012થી 2017ની વચ્ચે 28 બેન્કોમાંથી 22,842 કરોડની ક્રેડિટ સુવિધા મેળવી હતી, જો કે બાદમાં તે લોન ચુકવી ન હતી. વર્ષ 2016માં આરોપીઓની લોનને એનપીએ જાહેર કરાઈ હતી. બેન્કે જે હેતુ માટે લોન આપી હતી તેને માટે લીધેલા પૈસાનો ઉપયોગ કરાયો નહોતો. 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.