માલધારીઓએ ઢોરવાડા બહાર કર્યા અચોક્કસ મુદતનાં ધરણા, Gujarat Congress તેમજ AAP આવી પશુપાલકોના સમર્થનમાં, સરકારને ઘેરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:59

રખડતા ઢોરને લઈ અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. રખડતા ઢોરને કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે. વાહનચાલકોમાં પણ ડર વ્યાપી ઉઠતો હોય છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું. અનેક ગાયોને પકડવામાં આવી. ઢોરવાસમાં ગાયોની સારી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘાસચારો તેમજ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ખુલ્લામાં ગાયોના મૃતદેહને રાખવામાં આવે છે તેવા અનેક વીડિયો સામે આવ્યા હતા. ગાયોને મદ્દે ગુજરાત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

ગાયોના મૃતદેહ પડ્યા હોય તેવા અનેક વીડિયો આવે છે સામે 

રાજ્યમાં પ્રતિદિન રખડતા ઢોરની સમસ્યા વધતી જઈ રહી છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પર ઢોર દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. રસ્તા પર શાંત લાગતા ઢોર ગમે ત્યારે એટેક કરી દે તેની ખબર નથી હોતી. ત્યારે રખડતા ઢોરના વધતા હુમલાને કારણે ઢોરને પકડવા માટે તંત્રને હાઈકોર્ટે આદેશ અપાયો હતો. હાઈકોર્ટની અનેક ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારે પકડવા માટે ટીમ જતી ત્યારે ટીમ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવા પણ વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. એક તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ગાયોની સારસંભાળ નથી લેવામાં આવતી તેને કારણે ગૌમાતા મોતને ભેટી રહી છે તેવા આક્ષેપો માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, જામનગરથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા હોય છે. 

પ્રવીણ રામે પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી!  

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડા માલધારીઓના સમર્થનમાં આવ્યા! ગાય માતાના સરક્ષણ માટે માલધારી સમાજ દ્વારા આયોજીત ધરણામાં સહભાગી થયા હતા. ટ્વિટ કરતા અમિત ચાવડાએ લખ્યું કે ગાય માતાના નામ પર સત્તામાં આવેલી ડબલ એન્જિનની સરકારમાં એએમસી ગાયમાતાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી જગ્યાની મુલાકાત લીધી. જે જગ્યા પર 500 ગાયો જ રહી શકે છે ત્યાં 5000 ગાયો રાખવામાં આવી છે. પર્યાપ્ત ઘાસચારો પણ નથી... સરકાર પર તેમણે પ્રહાર કર્યો તો બીજી તરફ ગુજરાત આપ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આપ નેતા પ્રવીણ રામે પણ  ધરણા પર બેઠેલા પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. 


માલધારીઓ લડી લેવાના મૂડમાં!

મહત્વનું છે કે માલધારી સમાજ આ વખતે આ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલી નીતિનો તેમનો વિરોધ કર્યો હતો. એવા પણ વીડિયો સામે આવ્યા જેમાં માલધારીઓએ ગાયોનું બેસણું કર્યું હોય. ત્યારે આવનાર સમયમાં આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું!        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!