રાજકોટના ઢોર ડબ્બામાં કેપેસિટી કરતા વધારે રાખવામાં આવે છે ઢોર! Congressના નેતાઓએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ અને....


  • Published By :
  • Published Date : 2024-09-30 18:25:17

ગાયને આપણે માતા માનીએ છીએ.. તેમની પૂજા કરીએ છીએ.. ગાયો સુરક્ષિત રહે તે માટે ઢોરવાસમાં તેમને રાખવામાં આવે છે.. પરંતુ અનેક ઢોરવાસ એવા હોય છે જેને જોઈ ત્યાં રહેતી ગાયમાતાની દયા આવી જાય... રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોંગ્રસના નેતાઓ રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલા ઢોરવાસની મુલાકાતે ગયા હતા જ્યાં 532ની કેપેસિટી હોવા છતાંય 1045 પશુઓને રાખવામાં આવતા હતા. આટલી સંખ્યામાં પશુઓને તો રખાતા પરંતુ તેમને પૂરતું ભોજન પણ આપવામાં ન આવતું .. ઘાસચારો સારો ઉપલબ્ધ કરવામાં આવતો ન હતો. 


પશુઓને આપવામાં આવતો ઘાસચારો પણ સારો ના હતો!

સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 756 ગાયોના મોત થયા છે... તેમનું કહેવું હતું કે  એક જ દિવસમાં 10 પશુઓના મોત થયા છે પરંતુ સરકારી ચોપડે માત્ર 6 પશુઓના મોત બોલે છે.. ઉપરાંત જે સ્થળ પર પશુઓને રાખવામાં આવે છે તે સ્થળ  પણ એકદમ ગંદુ હોય છે.. પૂરતો ઘાસચારો પણ નથી આપવામાં આવતો. ઉપરાંત ઘાસચારો પણ ચોખ્ખો નથી હોતો જેને કારણે કાંતો તે ભૂખમરાનો શિકાર બને છે અથવા તો તેમના પેટમાં માટી જાય છે.. જે ટ્રસ્ટ આની સંભાળ રાખે છે તેનું નામ જીવદયા ટ્રસ્ટ છે. 532 પસુઓને રાખવાની કેપેસિટી છે પરંતુ ત્યાં 1045 પશુઓને રાખવામાં આવે છે... 



અનેક ગાયોના થયા મોત

મહત્વનું છે કે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે રાજકોટ શહેરના ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં  75 જેટલા 6 પશુઓના મોત નિપજ્યા છે. આ મામલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..એક ન્યુઝ પેપર સાથે વાતચીત કરતા દરમિયાન મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે ઢોર ડબ્બો જે પશુઓને પકડીને લાવે છે તે બિમાર હોય છે.. પ્લાસ્ટિક ખાવાથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે તેવી વાત તેમણે કરી હતી. એનિમલ હોસ્ટેલનુ સંચાલન જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટ સંચાલન કરવાની ઈચ્છા નહીં ધરાવતું હોય તો સંચાલન પરત લઈ લેવામાં આવશે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?