"મતદાતાઓ ના મગજમા જ્ઞાતિવાદનો કિડો છે..." આ Heading સાથે જમાવટ પર પત્ર આવ્યો જેમાં અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી...


  • Published By :
  • Published Date : 2024-09-12 16:41:04

મતદાતાઓ ના મગજમા જ્ઞાતિવાદનો કિડો છે.. આ કિડા પાસે દેશ અને પ્રજાની સેવા કરવાની વફાદારી જ નથી... આ ટાઈટલ સાથે જમાવટ પર દર્શકે પત્ર મોકલ્યો..  પોતાના પત્રમાં તેમણે જ્ઞાતિવાદને લઈ વાત કરી ઉપરાંત ભ્રષ્ટાચારને લઈને પણ વાત કરી.. ભ્રષ્ટાચાર અને જ્ઞાતિવાદ સહિતના અનેક એવા મુદ્દાઓ છે જે આખી સિસ્ટમને બગાડી શકે છે.. પોતાના પત્રમાં દર્શકે નેતાઓની પણ વાત કરી.. રાજકારણની કડવી વાસ્તવિક્તા તેમણે દર્શાવાનો પ્રયત્ન કર્યો છે..  


જ્ઞાતિવાદ ખુદ હકિકીતે તેની જ જ્ઞાતીમા અસામાજીક તત્વો, ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓને રીતસર પાળે છે. પ્રજા સાત્વિક બહાદુર વ્યકિત સાથે ઉભી રહેતી નથી. કેટલાય મતદાતા મતદાન કરતા નથી. ડાયરાના કલાકારો પ્રમાણીકતા બહાદુરના જે ભજનો ગાઈ છે તેવુ વાસ્તવિકત કાઈ જ નથી. પ્રજા ગુણવાન સિધ્ધાંતવાદી સેવકને સત્કાર કરવા તદન નગુણી બની ગઈ છે. તેવી પરિસ્થિતીમાં કોઈ પણ પક્ષ કાઈ ઉકાળી શકે નહી, કારણ પ્રજાને જ ખબર નથી મજબુત લોકશાહી માત્ર પ્રમાણીક બહાદુર નેતા વિના શક્ય જ નથી. બહાદુર પવિત્ર નેતા ગરીબ હોઈ શકે.. તેની પાસે પ્રજા ઉભવા તૈયાર નથી. આ પ્રજા જેલમા સજા ભોગવતા હલકટ નીચ નેતાને ચાટવા કાંઈ ખામી રાખતો નથી, આ પ્રજામા અનેક અત્યાચારોના પહાડ સર્જનહાર પૈસાદારોના પગના તળીયા ચાટવાના ચસ્કાદારો છે. ઐયાસી જીવન જીવવાના અનેક જાતિવાદી નેતાઓએ ખાદી ધારણ કરી લીધી છે. આવા વાતાવરણમા જે પ્રજા પોતાના જ સમાજના અસામાજીક તત્વોને ખુલ્લા પાડે.. જાતિવાદી નહી પણ રાષ્ટ્રવાદી લોકોનો પક્ષ બનાવે તે જરૂરી છે જે અશક્ય જ છે.  કેજરીવાલના આપ પક્ષે ચુસ્તબંધ પ્રમાણીકની છાપ ઊભી કરી સૌથી અપ્રમાણીક અને ભ્રષ્ટાચારી પક્ષ સાબિત થઈ ગયો.. દગાખોર સાબિત થઈ ગયો. 


હાલમા ભ્રષ્ટ નેતાઓ પ્રજામા જાતિવાદીનુ ઝેર ફેલાવી અને મતોમાં વિભાજન કરી સતા મેળવવાની હલકટતા ઉપર ઉતરી ગયા છે.. આ હલકટતા કેટલી ખરાબ કોઈ મને કહે તો હુ કહીશ તે પોતાના જ લોકોમા વેશ્યાવાડો ઊભો કરી, ઐયાસીની ચરમસીમા પિરશીને પણ સતા જમવા તૈયાર થઈ જાય તેવી હલકટતા છે, કારણ પ્રજાને મતદાન કરતા આવડતુ નથી. પ્રજાને રાજકારણની રમત પવિત્ર અને અપવિત્રતાને સમજતુ નથી, પ્રજા પોતાના ભ્રષ્ટ મિત્ર, જ્ઞાતીને જીતાડવા મતદાન માત્ર કરતુ નથી પણ ગુંડાગીરી કરે છે માત્ર સતા હાસલ કરી દેશને લુટવા. સાત્વિક પૈસાદાર હોવુ ગુન્હો નથી પણ સાથે દેશભક્તિ જરૂરી હોય છે.. તમારી ભુતકાળની મથરોટી, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમની KHAM જુગલબંધીએ જે અત્યાચાર ગુજરાતને આપેલ તે મહાભયંકર હતો. તે રીત હલકટકાની ચરમસીમા ઉપર હતી.. કોઈ પણ નવા પક્ષમા જુના ભ્રષ્ટ નેતા વીના શકય નથી, તે વીના દહી જામે તેમ નથી. પ્રજાના જ વર્તનના કારણે ચુટણીમા ધનદોલત ની રમત છે. પૈસામા વેચનારી પ્રજા સતામા આવે તો અત્યાચારનો સમુદ્ર જ બને જે આજની પરિસ્થિતને કેટલીય સારી કહેવડાવે. 

હાલમા એક જ માત્ર ઉપાય.



પ્રજા પોતે પોતાના વિસ્તારના પ્રમાણિક પણ બહાદુર સમ્રાટ નેતાની પસંજગી કરે.. પછી તે ભલે ગરીબ હોય, તે ઉમેદવારને જીતાડવાની જેતે પક્ષને ખાત્રી આપે અને તે પક્ષ તે ઉમેદવારને ટીકિટ આપે.. 

રામનુ રાજકારણ તેટલે પ્રમાણીક રાજકારણ જે રામચરિત્રમા છે, અન્ય કયાંય પણ આવો ઈતિહાસ નથી

દેશહિતનુ રાજકારણ અને દેશ લુટવાનુ રાજકારણ અને દેશ તોળવાનુ રાજકારણ સમજવા માટે પ્રજાએ પીએચડીની ડીગ્રી લેવી પડે તેવી પરિસ્થિત છે.. 


પ્રજાને સલામતી, રામરાજયનો વહિવટ, પોતાના પરિવારનુ સુખ જોઈતુ હોય તો આ કરવુ પડે.. નેતા ચુટાયા બાદ નેતાની સાથે સતત મદદ રૂપ થવુ જોઈએ.. નેતા સેવા છે અને જે સતસેવા કરે તેને પ્રજાએ સાથ આપવો જોઈએ.. પ્રજાના નોકર જેવી મજુરી કરનાર વાસ્તવમા પ્રજાના માવતર પણ હોય છે તે પ્રજા સમજે. પોતાના બાળકો માટે કાળી કારમી મજુરી કરનાર માવતરને જો બાળકો નોકર સમજે તો સંસ્કૃતીનુ પતન કરનાર તે બાળક જ. 


પૈસા મેળવવા જે ચકનાચુર થઈ  કામ કરે તે મહા મુર્ખતા છે.. બાંગ્લાદેશમાંથી ભારતની પ્રજા શીખે.. દેશ સલામત તોજ ઘર સલામત હોય છે, તે અકકલ વિકશાવે પ્રજા, જે માત્ર શ્રેષ્ઠ મતદાનથી જ શકય બાકી પૈસા અને સ્ત્રીઓ બન્નેને ધન સમજીને ઐયાસી માણવા અત્યાચારો લુટશે.. જેને વધુ પત્નિઓ રાખવાની શોખ છે તે રાજા પિતાને તેનાજ પુત્રો અને અરસપરસ પરિવારના જ હત્યા કરશે તે ઈતિહાસ થઈ ચુકયો છે.. 



પ્રજા જાગે તો જ સવાર 

નહિ તો ઘોર અંધારી રાત

વિનુ સચાણીયા ગજજર



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે