Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા પરિવાર આઘાતમાં, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-22 09:09:56

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો આ શબ્દ સાંભળવો જાણે એકદમ સામાન્ય બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક આવવાની સંભાવના વૃદ્ધ લોકોમાં વધારે હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તે તો આપણે જાણીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું છે. 5 વર્ષની બાળકી મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું અચાનક બંધ થઈ ગયું. 


પાંચ વર્ષની બાળકીને આવ્યો હાર્ટ એટેક! 

કોરોનાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હજી સુધી આપણે સાંભળતા હતા કે યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ વધી રહ્યું છે. પરંતુ તે બાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા કાળનો કોળિયો બની જાય છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ વર્ષની બાળકીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહાની છે.


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

આ ઘટના હસનપુર વિસ્તારના હાથિયા ખેડા ગામની છે. મોબાઈલ ફોનમાં કાર્ટુન જોઈ રહી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવાર રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમની દીકરી બેઠી હતી તે વખતે તે મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી. બાળકીની માતા તેની સાથે જ બેઠી હતી. અચાનક દીકરીના હાથમાં મોબાઈલ હતો તે નીચે પડી ગયો. જ્યારે બાળકીને હલાવવામાં આવી ત્યારે તે ઉઠી નહીં. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. અચાનક દીકરીની વિદાયથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે.    





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.