ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, વિદેશથી આવેલો વ્યક્તિ થયો કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:33:44

દેશમાં તેમજ રાજ્યમાં કોરોના કેસને કારણે ચિંતા વધી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉચંકી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ કાબુમાં રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કેસ ખેડામાં નોંધાયો છે. નડિયાદના ચકલાસીયાથી કેસ સામે આવ્યો છે. યુએસએથી આવેલા વ્યક્તિનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. 


કોરોના કેસ વધતા વધારાયા નિયંત્રણ 

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં વધતા કોરોના કેસને લઈ વિશ્વના અનેક દેશો સતર્ક થઈ ગયા છે. વિદેશથી આવતા લોકો માટે અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના પર નિયંત્રણ લાવવા પ્રયત્ન કરી રહી છે.


વિદેશથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાત કોરોના કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. ત્યારે વધુ એક વિદેશથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


મધ્યગુજરાતમાં વધતો કોરોના કેસનો આંકડો 

યુએસએથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાને કારણે તંત્ર દોડતું થયું છે. ખેડા જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા આને લઈ 33 સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના જાણે ફરી માથું ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદેશથી આવતા લોકોની જો વાત કરીએ તો મધ્યગુજરાતમાં સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત નોંધાઈ રહ્યા છે. અનેક લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે જેને કારણે તંત્રની ચિંતા વધી અને તંત્ર દોડતું પણ થયું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.