પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે? પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:59:20

ગુજરાત પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે?
પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ચૂંટણી ભલે એક જ થઈ મુખ્યમંત્રી આ ત્રીજા છે, અને એટલે જ આવનાર દરેક મુખ્યમંત્રીના મનમાં ગમે ત્યારે મારી ખુરશી જતી રહેશે એવો ડર રહે એ સ્વાભાવિક છે, પણ એ ડરના કારણે કોઈ પોતાના સુત્રોના આધારે મળેલી માહિતી લખવાનું તો કેવી રીતે છોડી દે?


રાજકોટના પેપરે લખ્યું CM બદલાય છે, FIR થઈ ગઈ!

સૌરાષ્ટ્રમાં ચાલતા બે અખબાર સૌરાષ્ટ્ર હેડલાઈન અને કાઠિયાવાડી મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈને પરસોત્તમ રૂપાલા બનશે એવું પ્રસ્થાપિત કરતી હેડલાઈન ગુડબાય ભૂપેન્દ્રજી વેલકમ રૂપાલા લખ્યું હતુ તો એના આધારે પોલીસે એમના પર એફઆઈઆર નોંધી છે, બાબુ વઘેરા નામના વ્યક્તિએ રાજકોટ એ-ડિવીઝનને આપેલી ફરીયાદના આધારે પોલીસે કલમ 505 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે

 

હવે એક હેડલાઈનથી ભાજપની શાંતિ ખોરવાઈ જશે?

પોલીસે લખ્યું છે કે આ કામના આરોપીઓએ ભારતીય જનતા પક્ષમાં ગભરાટ પેદા થાય અને તેનાથી કોઈ વ્યક્તિ ગુનો કરી બેસે અને જાહેર શાંતિ વિરૂદ્ધ કોઈ કૃત્ય કરી શકે છે, તો પોલીસ આરોપીઓ બેફામ ફરે, Mehul Boghara જેવા એક્ટીવિસ્ટ પર લાઈવ વિડીયોમાં હુમલો થાય તો આટલા જલદી ફરીયાદ કેમ નથી લેતી? નેતા અને નાગરીક માટે વર્તન અલગ-અલગ કેમ છે?

 

આ પહેલા ધવલ પટેલ પર રાજદ્રોહ લગાવ્યો હતો!

આ પહેલીવાર નથી કે પત્રકાર પર કેસ થયો હોય અને કદાચ આ છેલ્લીવાર પણ નથી, ધવલ પટેલ નામના પત્રકાર પર વિજય રૂપાણીની સરકાર બદલાય છે માત્ર એટલું લખવાથી એફ.આઈ.આર થઈ ગઈ હતી, રાજદ્રોહનો ગુનો સરકારે દાખલ કર્યો હતો, છેલ્લે વિજય રૂપાણી પણ બદાલાયા અને ધવલ પટેલ પણ છુટ્યા, હવે વિજય રૂપાણીની સરકાર બદલાઈ ગઈ તો સરકાર પર ખોટા કેસની કાર્યવાહી પોલીસ કરશે?



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે