પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે? પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:59:20

ગુજરાત પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે?
પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ચૂંટણી ભલે એક જ થઈ મુખ્યમંત્રી આ ત્રીજા છે, અને એટલે જ આવનાર દરેક મુખ્યમંત્રીના મનમાં ગમે ત્યારે મારી ખુરશી જતી રહેશે એવો ડર રહે એ સ્વાભાવિક છે, પણ એ ડરના કારણે કોઈ પોતાના સુત્રોના આધારે મળેલી માહિતી લખવાનું તો કેવી રીતે છોડી દે?


રાજકોટના પેપરે લખ્યું CM બદલાય છે, FIR થઈ ગઈ!

સૌરાષ્ટ્રમાં ચાલતા બે અખબાર સૌરાષ્ટ્ર હેડલાઈન અને કાઠિયાવાડી મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈને પરસોત્તમ રૂપાલા બનશે એવું પ્રસ્થાપિત કરતી હેડલાઈન ગુડબાય ભૂપેન્દ્રજી વેલકમ રૂપાલા લખ્યું હતુ તો એના આધારે પોલીસે એમના પર એફઆઈઆર નોંધી છે, બાબુ વઘેરા નામના વ્યક્તિએ રાજકોટ એ-ડિવીઝનને આપેલી ફરીયાદના આધારે પોલીસે કલમ 505 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે

 

હવે એક હેડલાઈનથી ભાજપની શાંતિ ખોરવાઈ જશે?

પોલીસે લખ્યું છે કે આ કામના આરોપીઓએ ભારતીય જનતા પક્ષમાં ગભરાટ પેદા થાય અને તેનાથી કોઈ વ્યક્તિ ગુનો કરી બેસે અને જાહેર શાંતિ વિરૂદ્ધ કોઈ કૃત્ય કરી શકે છે, તો પોલીસ આરોપીઓ બેફામ ફરે, Mehul Boghara જેવા એક્ટીવિસ્ટ પર લાઈવ વિડીયોમાં હુમલો થાય તો આટલા જલદી ફરીયાદ કેમ નથી લેતી? નેતા અને નાગરીક માટે વર્તન અલગ-અલગ કેમ છે?

 

આ પહેલા ધવલ પટેલ પર રાજદ્રોહ લગાવ્યો હતો!

આ પહેલીવાર નથી કે પત્રકાર પર કેસ થયો હોય અને કદાચ આ છેલ્લીવાર પણ નથી, ધવલ પટેલ નામના પત્રકાર પર વિજય રૂપાણીની સરકાર બદલાય છે માત્ર એટલું લખવાથી એફ.આઈ.આર થઈ ગઈ હતી, રાજદ્રોહનો ગુનો સરકારે દાખલ કર્યો હતો, છેલ્લે વિજય રૂપાણી પણ બદાલાયા અને ધવલ પટેલ પણ છુટ્યા, હવે વિજય રૂપાણીની સરકાર બદલાઈ ગઈ તો સરકાર પર ખોટા કેસની કાર્યવાહી પોલીસ કરશે?



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.