ઢોરવાસમાં નથી રખાતી પશુઓની કાળજી! ઢોરવાસમાં પ્રતિદિન થાય છે અનેક પશુઓના મોત, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 10:16:52

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ પર સંકટ રહેતું હોય છે કે રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા. અનેક વખત નોટિસ આપવામાં આવી. અંતિમ નોટિસ બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. રસ્તા પરથી પકડાયેલા ઢોરને ઢોરવાસમાં રાખવામાાં આવે છે. ગાયોની પુરતી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો ઘણી વખત પશુમાલિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે જેને કારણે માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રતિદિન 25-30 પશુઓના થઈ રહ્યા છે મોત!

જ્યારથી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલધારીઓ અને ઢોરને પકડવા ગયેલી ટીમ વચ્ચે બોલાચાલી થતી હોય. પકડાયેલી ગાયોને ઢોરવાસમાં રાખવામાં આવે છે. આ બધા વચ્ચે માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોની સાર સંભાળ સારી રીતે નથી કરવામાં આવી રહી. ઢોરવાસમાં પ્રતિદિન 25-30 પશુના મોત થઈ રહ્યા છે તેવા આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 



ગાયોના મૃતદેહને મૂકી દેવાય છે ખરાબ હાલતમાં!  

ગ્યાસપુરમાં જ્યાં મૃત ઢોરોનો નિકાલ કરવામાં આવે છે ત્યાં માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૃત ગાયોને એએમસીની ગાડીમાં લાવવામાં આવે છે અને ખરાબ હાલતમાં મૂકી દેવામાં આવે છે. જેના વીડિયો પણ તેમણે ઉતાર્યા છે. મહત્વનું છે કે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાસમાં 2646 પશુઓને રાખવામાં આવ્યા છે, જ્યારે બાકરોલ ખાતે આવેલા ઢોરવાસમાં 1287 અને નરોડાના ઢોરવાસમાં 981 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. 


પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવાય છે - ડે. મ્યુ. કમિશ્નર 

માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યું કે ગ્યાસપુર વિસ્તારમાં મૃત ગાયો મોટી સંખ્યામાં છે અને તેના વીડિયો સામે આવ્યા છે. આ બાબતે જે પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રોજના 20થી 25 જેટલી પશુઓના મોત ઢોરવાડામાં થઇ રહ્યાં છે. તો બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું કહેવું છે કે પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તે એટલા ભયંકર છે કે તે દ્રશ્યો વિચલીત કરી શકે તેમ છે.  



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.