ઢોરવાસમાં નથી રખાતી પશુઓની કાળજી! ઢોરવાસમાં પ્રતિદિન થાય છે અનેક પશુઓના મોત, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-06 10:16:52

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ પર સંકટ રહેતું હોય છે કે રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા. અનેક વખત નોટિસ આપવામાં આવી. અંતિમ નોટિસ બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. રસ્તા પરથી પકડાયેલા ઢોરને ઢોરવાસમાં રાખવામાાં આવે છે. ગાયોની પુરતી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો ઘણી વખત પશુમાલિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે જેને કારણે માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રતિદિન 25-30 પશુઓના થઈ રહ્યા છે મોત!

જ્યારથી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલધારીઓ અને ઢોરને પકડવા ગયેલી ટીમ વચ્ચે બોલાચાલી થતી હોય. પકડાયેલી ગાયોને ઢોરવાસમાં રાખવામાં આવે છે. આ બધા વચ્ચે માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોની સાર સંભાળ સારી રીતે નથી કરવામાં આવી રહી. ઢોરવાસમાં પ્રતિદિન 25-30 પશુના મોત થઈ રહ્યા છે તેવા આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 



ગાયોના મૃતદેહને મૂકી દેવાય છે ખરાબ હાલતમાં!  

ગ્યાસપુરમાં જ્યાં મૃત ઢોરોનો નિકાલ કરવામાં આવે છે ત્યાં માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૃત ગાયોને એએમસીની ગાડીમાં લાવવામાં આવે છે અને ખરાબ હાલતમાં મૂકી દેવામાં આવે છે. જેના વીડિયો પણ તેમણે ઉતાર્યા છે. મહત્વનું છે કે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાસમાં 2646 પશુઓને રાખવામાં આવ્યા છે, જ્યારે બાકરોલ ખાતે આવેલા ઢોરવાસમાં 1287 અને નરોડાના ઢોરવાસમાં 981 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. 


પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવાય છે - ડે. મ્યુ. કમિશ્નર 

માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યું કે ગ્યાસપુર વિસ્તારમાં મૃત ગાયો મોટી સંખ્યામાં છે અને તેના વીડિયો સામે આવ્યા છે. આ બાબતે જે પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રોજના 20થી 25 જેટલી પશુઓના મોત ઢોરવાડામાં થઇ રહ્યાં છે. તો બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું કહેવું છે કે પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તે એટલા ભયંકર છે કે તે દ્રશ્યો વિચલીત કરી શકે તેમ છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!