મંદી અને મોંઘવારી ભૂલી જાઓ, દેશમાં 8 લાખ કારના ઓર્ડર પેન્ડિગ, એક વર્ષ રાહ જોવી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-04 19:21:33

દેશની અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા, વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં વધારો હોવા છતાં, મોટી સંખ્યામાં કારના નવા બુકિંગ થઈ રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીઓ ખાસ કરીને એસયુવીના બેકલોકને ક્લીયર કરવામાં અસમર્થ છે. મહિન્દ્રાની Scorpio-N, Tata's Nexon, Maruti's Brezza, Hyundai's Creta અને Mercedes GLS માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડશે.


કઈ કંપનીના ઓર્ડર પેન્ડિંગ


દેશની સૌથી મોટી  કંપની મારૂતિ સુઝુકી પાસે સૌથી મોટો ઓર્ડર પેન્ડિંગ છે. કંપની પાસે 3.9 લાખ કારોનો બેકલોગ છે. તે જ પ્રકારે મહિન્દ્રાની થાર (Thar), XUV700, અને સ્કોર્પિયો-એન માટે મોટું બુકિંગ થયું છે. મર્સિડિઝ-બેન્ઝની પણ આ જ સ્થિતી થઈ છે. મર્સિડીઝ બેન્ઝના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ)ના જણાવ્યા પ્રમાણે કંપની પાસે 7 હજાર કારોનો ઓર્ડર છે અને વેઈટિંગ લીસ્ટ 3-9 મહિનાનું છે. જો કે આ કંપનીઓ ગ્રાહકોને કારની ડિલીવરી ન કરી શક્તા હવે ગ્રાહકોની ધીરજ ખુટી ગઈ છે અને ઓર્ડરો કેન્સલ કરાવી  રહ્યા છે.


શા માટે કારની ડિલીવરીમાં વિલંબ?


કોરોના સંકટ બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાઈ ચેઈન ખોરવાઈ ગઈ છે. દુનિયામાં સેમીકન્ડક્ટર ચિપની અછત છે. ઓટોમોબાઈલ કંપનીઓ સેમીકંડક્ટરની ભયાનક તંગીનો સામનો કરી રહી છે. તે ઉપરાંત કંપનીઓને વાહનોને ઉપકરણોની પણ અછત છે. હાલ ભારતમાં લગભગ 8 લાખ એસયુવીના ઓર્ડર પેન્ડિગ છે.



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.