TET-TATના ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે કરવાના છે આંદોલન, પત્ર લખી પોતાની વાતને કરવાના છે રજૂ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 12:15:08

આજે શિક્ષક દિવસ છે. દરેક શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી TET-TATના ઉમેદવારો  શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ રજૂઆત પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચવાના છે અને પત્ર લખી રજૂઆત કરવાના છે. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેના માટે તે આંદોલન કરવાના છે. મુખ્યમંત્રી સહિતના અલગ અલગ પદાધિકારીઓને ઉમેદવારો પત્ર આપવાના છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવાના છે. 

શું આજે ઉમેદવારો કરી શકશે રજૂઆત?

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અનેક એવી શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. અનેક એવી શાળાઓ છે જ્યાં શાળા ભવન જર્જરિત હાલતમાં છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં તો શાળાઓ જ નથી. ત્યારે શિક્ષકોની ઘટ પણ ગુજરાતમાં છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આજે આંદોલન કરવા માટે ગાંધીનગર ખાતે ઉમેદવારો ભેગા થવાના છે. હવે જોવું એ રહ્યું કે રજૂઆત કરવા ઉમેદવારો જઈ શકે છે કે પછી રજૂઆત કરવા પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. કારણ કે હજી સુધી આવું જ બન્યું છે.  
   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.