Madhya Pradeshમાં નકલી દિવ્યાંગનું સર્ટિફિકેટ બનાવી ઉમેદવારોએ મેળવી શિક્ષક તરીકે નોકરી, જાણો કેવી રીતે કૌભાંડનો થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-09-16 17:50:10

રાજ્યમાં જ્યાં એક તરફ ભાવિ શિક્ષકો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરી કાયમી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી શિક્ષક ભરતી બાબતે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવા સમાચાર બહાર આવ્યા છે જે જાણી ભરતી બાબતે અમુક ઉમેદવારો કઈ હદ સુધી જઈ શકે છે તેનું ઉદાહરણ મળ્યું છે. 2018માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી માટે આવેદનો મંગાવાયા હતા, તેમાં અચાનક વિકલાંગ ઉમેદવારોની ઘણી બધી અરજી આવી, તેમને થોડા સમય પહેલા નિયુક્તિ પણ મળી પરંતુ તે બાદ પોલીસને જે માહિતી મળી તે એકદમ અલગ હતી. 


લાયક ઉમેદવારોની ભરતી ન થઈ એટલે બની ગયા વિકલાંગ! 

ગુજરાતમાં થોડા સમય પહેલા ડમી ઉમેદવાર કાંડ સામે આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવ્યા હતા. આવો સરખો નહીં પરંતુ આ પ્રકારનો કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. આ કિસ્સામાં નકલી ઉમેદવારો નહીં પરંતુ કાયમી ભરતી લેવા માટે ઉમેદવારો નકલી વિકલાંગ બન્યા હતા. 2018 મધ્યપ્રદેશમાં શિક્ષકોની ભરતી નીકળી, ઉમેદવારો રાજી થયા- એ ઉમેદવારો જે લાયક હતા, બાકીના ઉમેદવાર ગયા ડોક્ટર પાસે અને બની ગયા વિકલાંગ, આવા 189 માંથી 66 જેટલા ઉમેદવારોએ પોતાની ખોડખાપણનું ફર્જી પ્રમાણપત્ર બનાવ્યું! આમ અચાનક આટલા વધારે ઉમેદવારો ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાની ફરિયાદ મળતા Directorate of Public Educationએ પ્રમાણપત્રની ખરાઈ કરવાનું શરૂ કર્યું.


આ મામલે તપાસ કરવા શિક્ષણ વિભાગે આપ્યો આદેશ!

આ મામલે વધારે ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. આ મામલે  ગ્વાલિયર, ચમ્બલ,અંચલ વિસ્તારના લગભગ 189 જેટલા પ્રમાણપત્રોને તપાસ માટે મોકલવામાં આવ્યા- અને શિક્ષણ વિભાગે ગ્વાલિયર જિલ્લા કલેક્ટરને આ બાબતે શોધ કરવાનો આદેશ આપ્યો, જેમાં આ આખા કૌભાંડનો ખુલાસો થયો, જ્યારે ખબર પડી કે આવેલા સર્ટિફિકેટોમાંથી 66 જેટલા સર્ટિફિકેટનો સ્વાસ્થ્ય વિભાગમાં કોઈ રેકોર્ડ જ નથી અને તેના પર જે સાઈન અને સીલ લગાવવામાં આવ્યા હતા તે મેળ નથી ખાતા- એટલે આ તમામ 66 ખોટા, નકલી, ફર્જી, પ્રમાણપત્રો બનાવ્યા હતા એ સાબિત થઇ ગયું એટલે આ ''ઠગ ગુરુઓ'' પર ધોખાધડીનો આરોપ મૂકી પોલીસે FIR કરી છે. આ મામલે તેમની વધુ પૂછપરછ થઇ રહી છે-


66 નકલી ઉમેદવારોમાંથી 50 ટકા ઉમેદવારોએ કર્યું બહેરા હોવાનું નાટક! 

પણ અહીં સૌથી મોટી વાત એ હતી કે નકલ ન કરવાની સલાહ આપતા શિક્ષકો જ એક બીજાના બીમારીની નકલ કરતા હતા એટલે 66 નકલી વિકલાંગ બનેલા ઉમેદવારોમાંથી 50% ઉમેદવારોએ બહેરા હોવાનું નાટક કર્યું! બહેરા શિક્ષકો ક્લાસમાં જાય તો વિદ્યાર્થી શું કરે? ત્યારે પ્રશ્ન એ થાય કે જો શિક્ષકો જ આવી ખોટી નીતિઓ, ખોટા રસ્તા અપનાવતા હોય તો વિદ્યાર્થીઓ પર શું અસર પડે? 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.