કેનેડા અભ્યાસ માટે ગયેલા 700 વિદ્યાર્થીઓને શા માટે સ્વદેશ પરત ફરવું પડશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-08 19:50:45


ભારતમાંથી કેનેડા ભણવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ તેમના ફેક એડમિશન લેટર હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓને તાજેતરમાં કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ ખૂબ નારાજ છે અને સરકાર પાસે સમસ્યાનો નિવેડો લાવવની માંગ કરી રહ્યા છે.


કૌભાંડનો માસ્ટર માઈન્ડ બ્રિજેશ મિશ્રા ફરાર 


આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા પાછળ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિનો હાથ છે. તે જાલંધર સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસનો વડો છે. વિદ્યાર્થીઓએ અહીંથી સ્ટડી વિઝા મેળવ્યા હતા. આ વિઝા નકલી હોવાનું જાણવા મળ્યું હતું અને હવે આ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાની ફરજ પડી રહી છે. બ્રિજેશ મિશ્રા ઘણા મહિનાઓથી તેમની ઓફિસમાં દેખાયો નથી. તેને લગતી તમામ વેબસાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી કરતા હતા. આ પહેલીવાર નથી જ્યારે મિશ્રા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હોય. અગાઉ પણ 2013માં વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે નકલી દસ્તાવેજો બનાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે અન્ય ડિરેક્ટરો સાથે 'ઈઝી વે ઈમિગ્રેશન કન્સલ્ટન્સી' નામની કંપની ચલાવતો હતો. પોલીસે તેની ઓફિસ પર દરોડા પાડીને રોકડ, પાસપોર્ટ અને વિદ્યાર્થીઓની નકલી ફાઈલો જપ્ત કરી હતી.


વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા 


જે વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલનો પત્ર મળ્યો છે. તે બ્રિજેશ મિશ્રા મારફતે જ કેનેડા ગયા હતા. આ માટે બ્રિજેશ મિશ્રાએ ઓન્ટારિયોની હમ્બર કોલેજમાં એડમિશન ફી સહિત વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા હતા. જો કે, કેનેડા પહોંચ્યા પછી, આ વિદ્યાર્થીઓને જે કોલેજ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા તેમાં પ્રવેશ મળ્યો ન હતો. હવે આ 700 ભારતીય વિદ્યાર્થીઓ મિસીસોગા, ઓન્ટારિયોમાં કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) ઓફિસની બહાર દેશનિકાલના આદેશ સામે વિરોધ પ્રદર્ષન કરી રહ્યા છે.


વિદેશમંત્રી એસ. જયશંકરે શું કહ્યું?


આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓનો આ મામલો થોડા સમયથી આવી રહ્યો છે. કેનેડિયનો કહે છે કે તેઓ જે કોલેજમાં હાજરી આપવી જોઈએ ત્યાં ભણ્યા નહોતા અને જ્યારે તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શરૂઆતથી જ અમે આ બાબતને ઉઠાવી છે અને અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓએ સારા ઈરાદાથી અભ્યાસ કર્યો છે. જયશંકરે વધુમાં કહ્યું- જો તેમને ગેરમાર્ગે દોરનારા લોકો છે તો દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. સારા ઈરાદા સાથે ભણતા વિદ્યાર્થીને સજા કરવી ખોટું છે. મને લાગે છે કે કેનેડા પણ માને છે કે જો વિદ્યાર્થીએ કંઈ ખોટું ન કર્યું હોય તો તેમને સજા કરવી ખોટું હશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!