Canada : લક્ષ્મી નારાયણ મંદિર પ્રમુખના પુત્રના ઘરે ભારે ફાયરિંગ, ખાલિસ્તાન વિશે શું કહ્યું? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 10:54:10

કેનેડાથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી, દિવાલોની બહાર સૂત્રો લખવામાં આવે છે વગેરે વગેરે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે કેનેડાના સરેમાં એક અગ્રણી હિંદુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી છે ઉપરાંત ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તે અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે.

ગોળીબારીમાં નથી થઈ કોઈને ઈજા! 

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે બની હતી. સવારે 8.03 વાગ્યે આ ઘટના બની છે. આ મળતી માહિતી અનુસાર આ ઘટના 80 એવન્યુના 14900 બ્લોકમાં બની છે. સરે રોયલ માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યા પર, જે ઘર પર ગોળી ચલાવવામાં આવી છે તે સરેના નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું ઘર છે. આ ગોળીબારીમાં કોઈને ઈજા પહોંચી હોય કોઈ ઘાયલ થયું હોય તેવી માહિતી સામે આવી નથી. પરંતુ હા ગોળીબારી થવાને કારણે ઘરને નુકાસાન થયું છે. દિવાલો પર ગોળીના નિશાન જોવા મળ્યા છે. 


અનેક વખત હિંદુ મંદિરોને બનાવવામાં આવે છે નિશાન! 

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.આ અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે. એક મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષએ જણાવ્યું કે હું એ ન જણાવી શકું કે આ હુમલો ખાલિસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે કે પછી વસૂલીવાળા દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે કેનેડામાં રહેતા હિંદુ સમાજના લોકોની ચિંતા વધી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે