કેનેડા અને ચીન વચ્ચે સંબંધો વણસ્યા, બંને દેશોએ એકબીજાના રાજદુતોને કર્યા દેશ નિકાલ


  • Published By :
  • Published Date : 2023-05-09 14:22:37

કેનેડા અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે, કેનેડાએ ચીનના રાજદુતની હકાલપટ્ટી કરી છે. આ જ મામલે ચીને પણ કેનેડાના કોન્સ્યુલેટ જનરલને 13 મે સુધી દેશ છોડી દેવાની સુચના આપી છે. ચીનના શાંઘાઈ સ્થિત વાણિજ્ય દુતાવાસને 13 મે પહેલા બંધ કરી દેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.


તંગદીલી શા માટે વધી?


કેનેડાની સિક્રટે એજન્સીએ સરકારને એક ગુપ્ત રિપોર્ટ સોંપી છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાજદુત દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે. તેઓ રાજકીય હસ્તક્ષેપ કરીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ બાદ ચીનના કેનેડા સ્થિત રાજદુત ઝાઓ વેઈને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તો સામે  ચીને પણ શાંઘાઈ વાણિજ્ય દુતાવાસને 13 મે સુધી બંધ કરી દેવાની  સુચના આપવામાં આવી છે.


તે ઉપરાંત ચીને વર્ષ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીઓના પરિણામોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ  કર્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ કેનેડાની સંસદમાં વારંવાર ચીનના રાજદુતને દેશનિકાલ કરવાની માગ કરી રહ્યા હતા. 



તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન "₹"ના સિમ્બોલને બદલવાની જાહેરાત કરી છે . તેની જગ્યાએ તેમણે તમિલ ભાષાના શબ્દ "રુબિયા"નો પેહલો શબ્દ "ரூ"લેવાની જાહેરાત કરી છે . આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને સત્તાધારી પક્ષ ડીએમકે "ઉત્તર"ની વિરુદ્ધમાં "દક્ષિણ" કરવાનો પ્રયાસ કરી રહી છે . કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો તમિલનાડુમાં પ્રભાવ વધી રહ્યો છે જેને લઇને ડીએમકે ચિંતિત છે .

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.