કેનેડા અને ચીન વચ્ચે સંબંધો વણસ્યા, બંને દેશોએ એકબીજાના રાજદુતોને કર્યા દેશ નિકાલ


  • Published By :
  • Published Date : 2023-05-09 14:22:37

કેનેડા અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે, કેનેડાએ ચીનના રાજદુતની હકાલપટ્ટી કરી છે. આ જ મામલે ચીને પણ કેનેડાના કોન્સ્યુલેટ જનરલને 13 મે સુધી દેશ છોડી દેવાની સુચના આપી છે. ચીનના શાંઘાઈ સ્થિત વાણિજ્ય દુતાવાસને 13 મે પહેલા બંધ કરી દેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.


તંગદીલી શા માટે વધી?


કેનેડાની સિક્રટે એજન્સીએ સરકારને એક ગુપ્ત રિપોર્ટ સોંપી છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાજદુત દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે. તેઓ રાજકીય હસ્તક્ષેપ કરીને દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ બાદ ચીનના કેનેડા સ્થિત રાજદુત ઝાઓ વેઈને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તો સામે  ચીને પણ શાંઘાઈ વાણિજ્ય દુતાવાસને 13 મે સુધી બંધ કરી દેવાની  સુચના આપવામાં આવી છે.


તે ઉપરાંત ચીને વર્ષ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીઓના પરિણામોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ  કર્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ કેનેડાની સંસદમાં વારંવાર ચીનના રાજદુતને દેશનિકાલ કરવાની માગ કરી રહ્યા હતા. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.